વેરાવળ, તા.19 ગુમ થયેલ મહિલાનું પરીવાર સાથે પ્રભાસ પાટણ પોલીસે મીલન કરાવી માનવતાનુ કાય કરેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાંજાડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર દ્વારા બાળકો, મહિલાઓ ગુમ થયેથી સત્વરે શોધી કાઢવા કામગીરી કરવા સુચના થયેલ હોય અને પ્રભાસ પાટણના પો.ઇન્સ. એમ.વી.પટેલ એ સ્ટાફને એનાબેન દાદાભાઇ મલંગ ઉ.વ.65 રહે.પ્રભાસ પાટણ જનતા સોસાયટી વાળા જે માનસિક અસ્થિર મગજના છે જેઓ ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહેલ છે. જેઓની તપાસમાં કરતા પો.કોન્સ. સુધીરસિંહ ભીખાભાઇ, સુરેન્દ્રસિંહ જગમાલભાઇ પેટ્રોલીંગમાં રહેલ તે બ્રહ્મ સમાજના પ્રમુખ વલભભાઇ મહેતા દ્વારા નાખડા ગામે ગુમ થનાર મહિલા હોય જેથી તેમના દિકરા અનવરભાઇનો સંપર્ક કરી ગુમ થનારને તેમના પરીવારના સભ્યો સાથે સુખદ મીલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરેલ છે.(તસવીર : મીલન ઠકરાર - વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy