પ્રાણ જાય પર વચન ન જાય! એક બેઠક પર ભાજપ હારતા રાજસ્થાનના મંત્રીએ રાજીનામું આપ્યું!

India | 04 July, 2024 | 04:29 PM
લોકસભાની ચૂંટણીમાં પોતાના પ્રભાવવાળી એક બેઠકમાં ભાજપ હારી જતાં વચન મુજબ મંત્રીએ રાજીનામુ આપ્યું
સાંજ સમાચાર

જયપુર (રાજસ્થાન), તા.4

આપણા રાજકારણીઓ વચન આપીને ફરી જવામાં પાવરધા હોય છે પણ રાજસ્થાનના એક મંત્રીએ ચૂંટણી પૂર્વે આપેલા એક વચન મુજબ પદ પરથી રાજીનામુ આપી રામાયણની એક પંક્તિ દોહરાવી હતી. પ્રાણ જાય પર વચન ન જાય.

વાત જાણે એમ છે કે રાજસ્થાનની રાજનીતિમાં આજે એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો હતો. રાજ્યના કૃષિમંત્રી કિરોડીલાલ મીણાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભજનલાલ શર્માની સરકારમાં વરિષ્ઠ મંત્રી હતા. તેમના એક સહયોગીના જણાવ્યા અનુસાર કિરોડીલાલ મીણાએ 10 દિવસ પહેલા જ રાજીનામુ મુખ્યમંત્રીને સોંપી દીધું હતું. જાણવા મળતી વિગત મુજબ પાર્ટીના નેતાઓ દ્વારા તેમને કેટલાય દિવસથી સમજાવવામાં આવતું હતું કે રાજીનામું ન આપે. ભાજપ નેતા કિરોડીલાલે એક્સ પર એક પોસ્ટ પણ લખી છે જેમાં તેમણે રામચરિત માનસની બે લાઇન લખી છે - રઘુકુલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાય પર વચન ન જાય.

►શા માટે આપ્યું રાજીનામું

ઉલ્લેખનીય છે કે હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં એલાન કર્યું હતું કે તેની અસરમાં આવતી સાત લોકસભા સીટોમાંથી કોઇ એક પર પણ ભાજપ હારી જાય તો તે પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ઉલ્લેખનીય છે કે ભાજપ મીણાના ગૃહ ક્ષેત્ર દૌસામાં ચૂંટણી હારી ગયું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj