રાજકોટ,તા 2
ડોકટર જોશીપુરા છેલ્લા 42 વર્ષથી રાજકોટમાં સ્કીન રોગના નિષ્ણાંત તરીકે પ્રતિષ્ઠા પામેલી છે. તેમણે ચાર દાયકા પહેલા રક્તપિતચ એઈડ્સ અને ચર્મરોગ વિશે, પ્રિન્ટ મીડિયા, ટેલીવિઝન તેમજ રેડિયો અને પરિસંવાદ કરી, લોકોમાં જાગૃતિ લાવેલ.
1000 થી વધુ ગ્રામ્ય તથા પછાત વિસ્તારોમાં મફત નિદાન કેમ્પો કરી, લોકસેવા કરેલ છે. હજુ પણ સોસિયલ મીડિયામાં વકતવ્યો આપે છે. ઈન્ટરનેશનલ લેવલે પણ નામના મેળવી છે, 31 જેટલા દેશોમાં રિસર્ચ પેપર રજૂ કરેલ છે.
આ સેવાકીય પ્રવૃતિને લક્ષમાં લઈ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા એ ડરમેટોલોજી બ્રાંચમાં એવોર્ડ માટે પસંદ કરેલ તેઓ ગુજરાતમાંથી સ્કીનમાં એવોર્ડ મેળવનાર એકજ હતા, દરેક બ્રાંચમાંથી 150 જેટલા તબીબો હતા. કોન્કલેવમાં મિલીટરી ચીફ હીથ સેક્રેટરી, અર્જુન એવોર્ડ વિજેતા, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ, સેન્ટ્રલ મિનિસ્ટર્સ ઉપસ્થિત રહેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy