રાજકોટ તા.26
છાપરું બનાવતી વખતે 11 કેવીના તારમાં અડી જતાં પ્રૌઢને વીજ શોક લાગતાં તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ મનસુખભાઈ વજુભાઈ પીઠવા (ઉ.વ.58 રહે- વિર સાવરકર નગર આવસ કવાર્ટર કાલાવડ રોડ) નામના પ્રૌઢ ગોકુલ હોસ્પિટલ પાછળ લાતી પ્લોટમાં કારખાનાંમાં છાપરું બનાવતાં હતાં.ત્યારે 11 કેવીના તારમાં પાઈપ અડી જતાં વીજશોક લાગતાં પ્રૌઢને તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે.તેઓને સંતાનમાં એક પુત્ર- પુત્રી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy