રાજકોટ, તા.9
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના માર્ગદર્શક અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના મુખ્ય અગ્રણી જીતુભાઈ મહેતા, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના પ્રવકતા હરેશભાઈ જોષીની યાદી જણાવાયું છે કે, આવતીકાલ તા.10ના રોજ અખાત્રીજના પવિત્ર દિવસે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ છે.
આ ધાર્મિક પ્રસંગને સૌરાષ્ટ્ર-કચ્છના ગામેગામ ખુબજ ભવ્યતાથી ઉજવાય તે માટે બ્રહમસમાજના અગ્રણીઓ સમસ્ત ભુદેવોને અપિલ કરીએ છીએ કે સમગ સૌરાષ્ટ્ર-કચ્છના ગામોગામ તેમજ શહેરોમાં શોભાયાત્રા, યજ્ઞ, હવન, બ્લડ ડોનેશન કેમ્પ, મહાઆરતી સહિત મહાપ્રસાદ જેવા આયોજનો થાય તે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ભુદેવો આ પરશુરામ જન્મજયંતિના ઉત્સવને ભવ્યતાથી ઉજવીએ અને યાદગાર બનાવીએ તેમ રામભાઈ મોકરીયા, જીતુભાઈ મહેતા, હરેશ જોષીએ અનુરોધ કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy