(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.23
રાજ્ય સરકારના આદેશ અનુસાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ધીરેન મહેતા થતા જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કરોલીયાની સૂચના અનુસાર પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસર ડો.દર્શન ખત્રી થતા સુપેરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન અનુસાર આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલીના આરોગ્ય કર્મચારી એવા દિલીપભાઈ દલસાણીયા, સોનલબેન શિયાળિયા, ભાવનાબેન ચાવડા થતા વિસ્તારના જુદા જુદા આશા વર્કર બહેનો દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે જેમાં હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ કરી ઘરોમાં તેમજ બહારના વિવિધ સ્થળો પર ભરાયેલા બિનજરૂરી પાણી દૂર કરવા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
વાહકજન્ય રોગોના અટકાયત માટે વહેલું નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ર્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક જન્ય રોગ જેવાકે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયા વિગરેના નિયંત્રણની કામગીરીમાં શાળાના બાળકોમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું છે.ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરોને દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ મેલેરીયા કરવામાં આવી હતી.
ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા,ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસની કરી પોરાનાશક કામગીરી, નકામાં પાણીના પાત્રો ખાલી કરાવેલ તથા પક્ષી કુંડ નિયમિત રીતે સાફ કરવા, ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી.વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.પાણીના પાત્રો ઢાંકીને રાખવા, અઠવાડિક ઘસીને સાફ કરવા વગેરે જનજાગૃતિ કરવામાં આવી હતી.પોરા નિર્દશન અને જતુંનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં જ સુવા બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy