રાજકોટ, તા. 19
રાજકોટ શહેરના બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્ર્વ વિદ્યાલયના પંચશીલ સેવાકેન્દ્ર અને રાજનગર સેવાકેન્દ્ર દ્વારા રામનવમી પર્વ તથા રાજનગર સેવાકેન્દ્રના 18માં વાર્ષિક ઉત્સવ નિમિત્તે ગુજરાત ઝોનના મુખ્ય સંચાલિકા શ્રી બ્રહ્માકુમારી ભારતી દીદીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવેકયુક્ત વ્યાપાર-રામરાજ્યનો જયજયકાર વિષયક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ શહેરના વિવિધ સંસ્થાના ઉદ્યોગકારો અને ધંધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ તકે બ્રહ્માકુમારી અંજુબહેને જણાવ્યું હતું કે, વ્યાપાર-ધંધામાં ધન, ભૌતિક સુખ-સુવિધા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની દોટમાં ઘણીવાર નીતિ - મુલ્યો સાથે સમાધાન કરવું પડતું હોય છે. પરંતુ આજે રામનવમી પર્વ ઉપર એકત્રિત થાય છીએ તો સંકલ્પ કરીએ કે, ગ્રાહક તેમજ આપણા અન્ય વ્યાપારી સંબંધોમાં મિત્રભાવ રાખીને બંને પક્ષે કલ્યાણ થાય તેવી ભાવના સાથે વ્યાપાર કરીએ. તેમણે ઉદ્યોગ ધંધાની પ્રગતિ સાથે આધ્યાત્મિક જ્ઞાન થકી પોતાની આંતિરક શક્તિ વિકસાવવા માટે પણ જણાવ્યું હતું. જ્યારે મન અને તન પ્રફુલ્લિત હશે તો અમુક નિર્ણયો લેવામાં પણ સરળતાનો અનુભવ થશે.
આ અવસરે ઉપસ્થિત મહાનુભવોએ સ્વસ્તિકની આકૃતિ રૂપ દીપમાળાને પ્રજ્જવલિત કરી હતી. તેમજ સંસ્થાના બાળ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વ્યસન મુક્ત ભારત દેશ બનાવવાના શપથ લેવામાં આવ્યા હતા. વધુમાં બ્રહ્માકુમારી ભારતી દીદીએ પ્રાસંગિક ઉદ્બોધન અને સ્વાગત પ્રવચન બ્ર.કુ. રીટાબહેને કર્યું હતું. બ્ર.કુ. એકતાબહેને બ્રહ્માકુમારી સંસ્થાનો પરિચય આપ્યો હતો અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન બ્ર.કુ. આરતીબહેને કર્યું હતું.
આ કોપર ગ્રુપમાંથી આશિષભાઈ પીપળીયા, ચાંદની ઓટો ઈન્ડસ્ટ્રીઝમાંથી ગણેશભાઈ રંગાણી, વિશ્ર્વનાથ ટેકનોકાસ્ટમાંથી કિશોરભાઈ કાકડીયા, શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝમાંથી નરેશભાઈ અકબરી, અન્ય સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી બહેનો સહિત વિવિધ ઔદ્યોગિક સંસ્થાના ઉદ્યોગકારો અને વેપારીબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy