(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.4
મોરબી જિલ્લામાં આગામી તા.7-5 ના રોજ મતદાન થનાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ-126 ની જોગવાઈ મુજબ મતદાન પુર્ણ થવા માટે નિયત કરેલ સમય સાથે પુરા થતાં 48 કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
જેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના 48 કલાક એટલે કે, તા. તા.5-5 ના સાંજના 6 કલાક થી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લાના સમગ્ર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મતદાન પુરું થવાના સમય પહેલાના 48 કલાક એટલે કે, તા.5-5 ના સાંજના 6 કલાક થી કોઈપણ વ્યકિત ચૂંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહીં, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં. હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ તથા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ-126 હેઠળ જેલ અથવા દંડ અથવા બંને સજાને પાત્ર થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy