રાજકોટ, તા.3
પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.7 જુલાઈને રવિવારના રોજ સવારે 9 થી 11:30 સુધી 1 થી 12 વર્ષના બાળકોને વિનામૂલ્યે ગાલપચોળીયા-ઓરી-નૂરબીબીની રસી મૂકવાના કેમ્પનું આયોજન ટ્રસ્ટના ભવન કિલ્લોલ 1 મયુરનગર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વઝોન ઓફિસ સામે, ભાવનગર રોડ ખાતે કરવામાં આવ્યું છે.
ગાલપચોળિયા ચેપી રોગ છે તેના કારણે બાળકોમાં વિવિધ તકલીક ઊભી થઈ શકે છે જેવી કે દર્દીઓને ખોરાક લેવામાં તકલીફ પડે મગજ પર સોજો આવી શકે અને વધુ અસર થાય તો વંધ્યત્વ પણ આવી શકે છે. માર્કેટમાં આ રસી ખૂબ જ મોંધી મળતી હોય છે જેના કારણે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ઘણા પરિવારો આ રસી બાળકોને મુકાવી શકતા નથી. આ કેમ્પમાં બાળકોને રસી ઉપરાંત બાળકોને થતા વિવિધ રોગોની તપાસ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આ કેમ્પમાં જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો.નિખિલભાઈ શેઠ સેવા આપશે કેમ્પનો સમય નો રહેશે. કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ ભટ્ટ, ડો.જેમનભાઈ ઉપાધ્યાય ડી.નયનભાઈ શાહ, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની, દિવ્યેશભાઈ અઘેરા બીપીનભાઈ વસા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુમાં માહિતી માટે ફોન નં.0281-2704545 પર સંપર્ક કરવાનો રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy