રાજકોટ તા.7
ગુજરાતમાં લોકસભાની સાથે ધારાસભાની પાંચ બેઠકોની યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં પણ સવારથી ભારે મતદાનના સંકેત છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા બાદ ધારાસભા બેઠક છોડનાર પુર્વ એમએલએ હવે ફરી તેમની જ બેઠક પર કમળના નિશાન પર ચુંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસ ફરી એક વખત આ બેઠકો કબ્જે કરવા મેદાને છે જેમાં વિજાપુરમાં ભાજપમાં જોડાયેલા પુર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ઉપરાંત પોરબંદર બેઠક પર અર્જુનભાઈ મોઢવાડીયા, માણાવદર બેઠક પર અરવિંદભાઈ લાડાણી, ખંભાત પર ચિરાગ પટેલ અને વાઘોડીયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ ઝાલા ભાજપના ઉમેદવાર તરીકે ચુંટાવા જંગ લડી રહ્યા છે.
જેની સામે કોંગ્રેસ પક્ષે પોરબંદરમાં રાજુભાઈ ઓડેદરા, માણાવદરમાં હરિભાઈ પટેલ, વાઘોડીયામાં કનુભાઈ ગોહેલ, ખંભાતમાં મહેન્દ્રસિંહ પરમાર અને વિજાપુરમાં દિનેશભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે અને છેલ્લા અહેવાલ મુજબ આ ધારાસભા બેઠક પર 15 ટકા જેવુ મતદાન થઈ ગયું છે.
મતદાનની સાથે.. સાથે..
* બનાસકાંઠામાં ઈવીએમમાં ખામી સર્જાણી
* 1 કલાકથી ઈવીએમ બંધ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો
* વાવના એટા અને કલ્યાણપુર ગામે ઈવીએમમાં ખામી સર્જાઈ
* જુનાગઢના શાળા નં.4માં ઈવીએમ ખોટવાતા બદલ્યું
* નવસારી જલાલપોરના બુથ નં.128 પર ઈવીએમ ખોટવાતા મતદાન મોડી શરૂ થયું
* નવસારીના દેવીના પાર્ક વિસ્તારમાં બુથ પર પણ ઈવીએમ ખોટવાયું
* રાપના ખોગારપુરમાં ઈવીએમ ખોટવાયું
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy