હાથરસ,તા.5
હાથરસમાં ભોલે બાબાના સત્સંગ સમાગમમાં નાશભાગમાં 121થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દરમિયાન વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે હાથરસ પહોંચ્યા હતા અને દુર્ઘટનાના પીડિતોને મળ્યા હતા.
આ તકે પીડિતોએ ઢોંગી બાબાની ધરપકડની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ પીડિતોના પરિવારને ખબર અંતર પૂછી મૃતકોના પરિવારને મદદ કરવાનો પૂરો ભરોસો આપ્યો હતો.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષના લીડર રાહુલ ગાંધી હાથરસ પીડિતોની મુલાકાત લેવા પહોંચી ગયા હતા. આજે તેમની હાથરસમાં પીડિતો સાથે મુલાકાત થઈ હતી. જયાં પીડિતોએ તેમની સામે માંગ કરી હતી કે ઢોંગી બાબાની ધરપકડ કરવામાં આવે.
અલીગઢના પીલખનામાં નાસભાગ પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને તેમની પીડાઓ જાણવાનો પ્રયાસ કર્યા બાદ રાહુલ ગાંધી હાથરસના નવીપુર ખુર્દ પહોંચી હતા. અહીં તેમણે પીડિતોને ન્યાય અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
રાહુલ ગાંધી સામે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સામે લોકસભા ચૂંટણી લડનારા દિગ્ગજ કોંગ્રેસી નેતા અજય રાય પણ હાજર હતા. રાહુલે પીડિત પરિવારો સાથેની મુલાકાતમાં સહાનુભુતિ વ્યકિત કરી હતી. હાથરસ દુર્ઘટના વિશે રાજય સરકારે તપાસ ટીમની રચના કરી જ લીધી હતી અને તેનો રિપોર્ટ પણ સરકારને સોંપી દેવામાં આવ્યો છે.
દુર્ઘટના વિશે 100 લોકોના નિવેદન લઈને રિપોર્ટમાં જવાબદારી ફીકસ કરી દેવામાં આવી છે. હાથરસ દુર્ઘટના વિશે વિરોધપક્ષોએ સરકાર પર આક્ષેપો કર્યા જ છે. રાહુલ ગાંધી સમક્ષ પીડીતોએ વ્યાપક વ્યથા ઠાલવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy