રાજકોટ, તા.25
મર્ડરના ગુન્હામાં આજીવન કેદની સજા પડેલ કેદી પરોલ પર બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. જેને રાજકોટ રૂરલ એલસીબી ટીમે મહારાષ્ટ્રના પુનામાંથી પકડી પાડી જેતપુર સીટી પોલીસને સોંપી દીધેલ છે.
મળતી વિગતો મુજબ ચોવીસ વર્ષ પહેલા રાજકોટ રેલવે ક્વાર્ટરમાં રેલ કર્મીના પુત્રની હત્યા થઈ હતી. આ મર્ડરનો આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો ત્યારે પેરોલ રજા મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર હતો. જેની શોધખોળ શરૂ હતી. જે અનુસંધાને રાજકોટ રૂરલ એલ.સી.બી.નો સ્ટાફે મર્ડરના આરોપીને મહારાષ્ટ્રના પુના જિલ્લાના રાંજણગામ વિસ્તારમાંથી રમેશ નરશીભાઈ (ઉ.વ.47 રહે- જેતપુર બોખલા દરવાજા પાસે હુસેની ચોક જી. રાજકોટ) ને પકડી પાડયો હતો. આ કામગીરીમાં રાજકોટ રૂરલ એલ.સી.બી.ના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ ડી.જી. બડવા, એચ.સી.ગોહીલ થતા એ.એસ.આઈ અનીલભાઈ બળકોદીયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, હેડ કોન્સટેબલ નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, કોન્સટેબલ અબ્દુલભાઈ શેખ રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy