(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ તા. 15
રાજકોટના કોઠારીયા ચોકડી પાસે રહેતા સુરેશભાઈ અરજણભાઈ ખાટરીયા ઉમર વર્ષ 41 એ માનસિક બીમારીથી કંટાળી ગોંડલ તાલુકાના રીબડા ગામ પાસે ટ્રેન નીચે ઝંપલાવી મોત મીઠું કરી લેતા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ વાળા રમેશભાઈ વાગડીયા ને થતા દોડી ગયા હતા ત્યાં યુવાનનું બાઈક પડ્યું હતું અને તેને ડેકી ખોલતા તેમાં કંકોત્રી મળી હતી તેના આધારે યુવાનના પરિવારજનોનો ગણતરીની કલાકમાં જ સંપર્ક થયો હતો.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સુરેશભાઈ ખાટરીયા ગોંડલ જવાનું કઈ ઘરેથી નીકળ્યા હતા બાદમાં તેમનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમની શોધ શરૂ કરી હતી દરમિયાન પોલીસ નો સામેથી ફોન આવતા જાણ થતા પરિવારજનો શોક મગ્ન બન્યા હતા યુવાન માનસિક બીમારીથી પીડાતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy