ગોંડલ, તા.18
સદગુરૂદેવ ભગવાન રણછોડદાસજી મહારાજ ની પ્રેરણા અને ગુરૂદેવશ્રી પૂ.હરિચરણદાસજી મહારાજ અનન્ય આશીર્વાદ થી પરમ પૂજ્ય મહંત શ્રી જયરામદાસજી મહારાજ ની અધ્ય્ક્ષતામાં અત્રે ના સુપ્રસિદ્ધ રામજી મંદિર ગોંડલ ખાતે રામનવમી કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો
જેમાં કળશ સ્થાપના, શ્રી રામ ચરિત માનસજી ના પાઠ, રામજન્મોત્સવ, શ્રી રામ વિવાહ પ્રાત: સ્મરણીય ગુરુદેવશ્રી હરિચરણદાસજી મહારાજનો 102 મી જન્મજયંતિ રંગે ચંગે ઉજવણી તેમજ આજ રોજ રામનવમીના દિવસે શ્રી રામયજ્ઞ, મહાઆરતી તેમજ રામજન્મોત્સવ ભક્તિ ભાવ સાથે ઉજવાયો હતો. આ તકે સંતો-મહંતો, મહાનુભાવો, સમાજ શ્રેષ્ટિઓ, ગુરુભાઈઓ બહેનો મોટી સંખ્યા માં લાભ લીધો હતો.
દસહજાર થી વધુલોકોએ સમૂહ મહાપ્રસાદ લીધો
ગોંડલના સુપ્રસિદ્ધ રામજીમંદિર ખાતે ભવ્ય રામલલ્લાના વધામણાં અને બપોરે મહાઆરતી માં હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું હતું દેશવિદેશ થી ગુરુભાઈઓ પણ મહાઆરતીમાં ઉપસ્થિત રહી આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો. આજરોજ રામનવમી નિમિતે રઘુરામ યજ્ઞમાં ઘનશ્યામભાઈ જીવરામભાઇ જોબનપુત્રા અફ્રિકાવાળા એ મુખ્ય યજમાન તરીકે જોડાયા હતા.
યજ્ઞ પૂર્ણાહૂતિએ ગોંડલના મહારાજાશ્રી હિમાંશુસિંહજી સાહેબશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને રામજી મંદિરના પટાંગણમાં મહા પ્રસાદ માં મોટી સંખ્યામાં ગુરુભાઈઓ અને ભક્તજનો એ લાભ લીધો હતો. 15 જેટલા લોકો એ 1 કરોડ શ્રી રામ મંત્ર લખ્યા વિશેષ સન્માન કરાયું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy