માંગરોળમાં વિહિપ-બજરંગદળ દ્વારા રામનવમીની ઉજવણી

Local | Junagadh | 19 April, 2024 | 10:58 AM
કલાત્મક ફલોટ્સ સાથે વાજતે-ગાજતેે રાજમાર્ગોમાં શોભાયાત્રા નીકળી: રાજકીય મહાનુભાવો, વેપારીઓ, નગરજનો જોડાયા
સાંજ સમાચાર

(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા. 19 માંગરોળમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ તેમજ શ્રીરામ ધુન મંડળના નેજા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં વિશાળ શોભાયાત્રા નિકળી હતી જેમા વિશાળ સંખ્યામાં લોકો ડીજેના તાલે વિવિધ સંગઠનો યુવક મંડળો દ્વારા તૈયાર કરેલ કલાત્મક આકર્ષક ઝાંખીઓ સાથે કેસરીયા સાફા માં સજ્જ ભગવા ધ્વજો સાથે રામ ભક્તો જય જય શ્રીરામ ના નારાઓથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું. વિશ્ર્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા ગેટ સાથે બેનરો અને હોર્ડિંગ્સ રસ્તાઓ ઉપર દુકાનો મકાનોમાં ભગવા ધ્વજો અને શહેરના મુખ્ય લીમડાચોક ની સજાવટ સહીતના અલગ અલગ કામોને પુર્ણ કરવા વિશ્ર્વ હિન્દુ પરિષદના વિભાગ આગેવાન વિનુભાઈ મેસવાણિયા, વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી,ઉપપ્રમુખ પરેશભાઈ જોશી, મહેશભાઈ ઘેરાવડા,પંકજભાઇ રાજપરા,બજરંગ દળના ધવલ પરમાર, અમીશ પરમાર, વિમલ ગોંડલીયા, દર્શન પટ્ટણી સહીતના હોદેદારો અને બજરંગદળના યુવાનો કાર્યકતાઓ દાતા જેઠાલાલ શાહ વિ. સહયોગ આપ્યો હતો. શોભાયાત્રામાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, માંગરોળ મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, ભાજપનાં રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઇ મસાણી, જીલ્લા ભાજપ આગેવાન માલદેભાઈ ભાદરકા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, હરીશભાઈ રૂપારેલીયા, કિશનભાઇ પરમાર,તરુણગીરી બાપુ,પ્રફુલભાઈ નાંદોલા, રાકેશભાઈ ભરડા સહીતના અગ્રણીઓ માંગરોળ શહેરના તમામ જ્ઞાતિનાં પ્રમુખો આગેવાનો વેપારી અગ્રણીઓ, નગરજનો જોડયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj