રાજકોટ, તા.17
અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામમય વાતાવરણ સર્જાયું છે. ત્યારે આજે રામ નવમીના પાવન પર્વ નિમિતે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રામધુનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં જેલના તમામ બંદીવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જેલના કેદીઓએ ભજન મંડળી દ્વારા શ્રી રામ ભગવાનના ભજન અને ધુન ગાઈ ભાવભેર ઉજવણી કરી હતી. આ તબ્બકે સમગ્ર જેલનુ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અને જયશ્રી રામના નાદથી જેલ પરીસર ગુંજી ઉઠ્યું હતું.આ પ્રસંગે જેલના અધિકારી/કર્મચારીઓ દ્વારા દીપ પ્રગટાવી રામનવમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy