રાજકોટ તા.24
શહેરના જામનગર રોડ ઉપર આવેલ વાલ્મીકીવાડીના રહેવાસી રામેશ્ર્વરીબેન ગૌરાંગભાઈ સોલંકીએ શ્રી શિવસાગર ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી.માંથી રૂા.5 લાખની લોન લીધી હતી. જે ચુકવવા રૂા.5,67,292નો ચેક આપેલ. આ ચેક ખાતામાં અપુરતા નાણાને કારણે પરત ફરેલ. રામેશ્વરીબેન સોલંકીએ આપેલ ચેક રીટર્ન થતા બેંકે એડવોકેટ નિલેશ જી. પટેલ મારફત ચેક રીટર્ન થયા અંગેની અને ચેકવાળી રકમ ચુકવી આપવા અંગેની નોટીસ આપેલ. નોટીસ આપવા છતાં રકમ બેન્કમાં ભરપાઈ કરેલ નહીં.
મંડળીના ઓફીસર કિર્તીભાઈ લક્ષ્મીદાસ પટેલએ રાજકોટના મહે.ચીફ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટ સમક્ષ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.
ફરીયાદ ચાલી જતા સોસાયટી તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા તથા ફરીયાદીના એડવોકેટ નિલેશ જી. પટેલની દલીલો તથા ફરીયાદ પક્ષે રજુ કરવામાં આવેલ. વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટે રામેશ્ર્વરીબેન સોલંકીને એક વર્ષની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં મંડળી વતી એડવોકેટ નિલેશ જી. પટેલ, નિકુંજબેન સાકરીયા એડવોકેટ તેમજ સહાયક રેખાબેન ઓડેદરા, રીધ્ધીબેન પીલોજપરા, દિપાલીબેન નકુમ રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy