કાઠી દરબારોના સાડા ત્રણ દિવસના ઉપવાસ શરૂ

ચોટીલાના નવાગામથી નવા સુરજદેવળ સુધી સૂર્યનારાયણ ભગવાનની સમાજમાં યુવાનો દ્વારા યોજાઈ રથયાત્રા

Local | Surendaranagar | 09 May, 2024 | 12:59 PM
નવાગામના રામજી મંદિરથી સામૈયા કરી રથયાત્રાનું કરાયું પ્રસ્થાન
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.9
નવા સુરજદેવળ ખાતે કાઠી દરબારો સાડા ત્રણ દિવસ ઉપવાસ કરશે. જે અંતર્ગત આજે મોટી સંખ્યામાં સૂર્યનારાયણ ભગવાનના રથ સાથે કાઠી દરબાર સમાજના યુવાનો હજારોની સંખ્યામાં ઘોડેસવારી કરીને નવા સુરજદેવળ ખાતે પહોંચ્યા હતા. જેમાં ચોટીલાના નવાગામથી નવા સુરજદેવળ મંદિર સુધી સૂર્યનારાયણ ભગવાની રથયાત્રા સાથે કાઠી દરબારો દ્વારા મોટી સંખ્યામાં ઘોડેસવારી કરીને પહોંચ્યા હતા.

શ્રી નવા સુરજ દેવળ મંદિર મુકામે આજરોજ તા.8.5.2024ના રોજ ઉપવાસ પર્વના પ્રથમ દિવસે ચોટીલા તાલુકાના નવાગામેથી સૂર્યરથ તેમજ ઘોડેસ્વારો સાથે શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બળવીરભાઈ ખાચર તેમજ નવાગામ સમસ્ત શ્રી સૂર્યરથ યાત્રાની નવાગામના રામજી મંદિરથી સામૈયા કરી અને વાજતે ગાજતે ધામધૂમપૂર્વક રથયાત્રાનું નવા સુરજદેવળ મંદિર તરફ પ્રસ્થાન કરાવ્યું હતું અને સેવાનો લાભ લીધો હતો.

જેમાં મોટી સંખ્યામાં કાઠી દરબારો, સૂર્ય ઉપાસકો અને ઘોડેશ્વારો તેમજ મોટી સંખ્યામાં જનમેદની સાથે શોભાયાત્રી નીકળી હતી. જે શ્રી નવા સુરજદેવળ મંદિર મુકામે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમા ઉપવાસના પ્રથમ દિવસે સૌએ દર્શનનો લાહવો લઈ અને ધન્યતા અનુભવી હતી.

કાઠી દરબોરોનું દર વર્ષે વૈશાખ સુદ 1થી 4ના બપોર સુધી ઉજવાતું ઉપવાસ પર્વ ભારતીય સંસ્કૃતિમાં આપણાં ભૂતકાળની ઐતિહાસિક ઘટનાનાં સંસ્કાર જીવંત રાખવા માટે તિથી, પર્વ, તહેવારોનું ખુબજ મહત્વ છે, તેવા જ આજે સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડમાં વસતા કાઠીદરબારો વર્ષો પૂર્વની ઘટનાને યાદ કરી દર વષેની વૈશાખ સુદ એકમથી ચોથનાં બપોરે પારણાં કરી સાડાત્રણ દિવસનાં ઉપવાસ વિવિધ સૂર્યસ્થાને કરે છે, જેમા હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલા નવાસુરજદેવળ તેમજ થાનગઢ પાસે આવેલ જૂના સુરજદેવલ સ્થાને ઉપવાસીઓ જોવાં મળે છે,

ઘણાં લોકો પોતાની અનુકુલતા મૂજબ નજીકનાં આશ્રમોએ અને પોતાનાં ઘરે પણ ઉપવાસ કરતાં હોય છે. સૂર્ય ઉપાસના વૈદિકકાલથી પ્રચલિત છે, જેમાં સુર્યને જગતચક્ષુ,જગત આત્મા પણ કહે છે, સુર્ય ઉપાસનાં 11મી સદીમાં ભારતમાં ચરમસીમા પર હતી, પ્રભાસક્ષેત્રમાં 12 સુર્યમંદિરો હતા. પણ ધીમે ધીમે સુર્ય ઉપાસનાથી લોકો દૂર થતાં ગયા પણ કાઠી દરબારો આજે પણ સુર્યને ઇષ્ટદેવ તરીકે ઉપાસનાં કરે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj