મુંબઈ તા.5
ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા માર્કેટ રેગ્યુલેટર સેબીને સાવધાની રાખવા તથા વધતા વર્કલોડ વચ્ચે નવા કદમ ઉઠાવવાની સલાહ આપવામાં આવી હતી.
ભારતમાં લોકસભા ચૂંટણી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને અનેક નેતાઓએ ભારતીય અર્થતંત્રના વિકાસને આગળ ધરીને તેજી થવાની આગાહી કરી હતી. જો કે, ભૂતકાળમાં અભૂતપૂર્વ તેજી વખતે સેબીથી માંડીને રિઝર્વ બેંક દ્વારા સાવચેતી રાખવાની તાકીદ થતી જ હતી. હવે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડ દ્વારા સાવધાની સલાહ આપવામાં આવી છે. જો કે, તેઓએ વહીવટી કામગીરીને લગતી આવી સલાહ સેબીને આપી છે.
ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સિકયુરીટીઝ એપલેટ ટ્રીબ્યુનલની વધારાની બેંચ ખોલવાની દિશામાં કાર્યવાહી થવી જોઈએ. કારણ કે વિક્રમી તેજીના વર્તમાન દોરમાં લેવડદેવડનું પ્રમાણ ઘણુ વધી ગયુ છે અને નવા નિયમોને કારણે કામના બોજમાં પણ મોટો વધારો થયો છે.
તેઓએ કહ્યું કે નાણાંકીય ક્ષેત્રમાં સમયસર કાર્યવાહી કરવાનુ અને ભૂલ-ક્ષતિઓ સુધારવાનુ બેહદ જરૂરી છે. તેઓએ સિકયુરીટીઝ એપલેટ ટ્રીબ્યુનલની નવી વેબસાઈટ લોન્ચ કરી હતી જે નેશનલ ઈન્ફોર્મેશન સાયન્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ પુર્વે સેબીના વડા માધવીપુરી બુચ દ્વારા પણ શેરબજારમાં ગોટાળા કરનારાઓને ઓળખવા તથા તેના વિશે સેબીને માહિતી આપવાનું આહવાન કર્યુ હતું. પોર્ટફોલીયો મેનેજરો સમક્ષ તેઓએ કહ્યું કે ગોટાળાના કૃત્યો મોટી સમસ્યા બની જાય તે પુર્વે જ તેના પર સંપૂર્ણ અંકુશ મુકવાનો અને આખરી કાર્યવાહી કરવાનો ઉદેશ છે. સિસ્ટમમાં વિસ્ફોટ થાય તે પુર્વે જ આવા તત્વો સામે કાર્યવાહી જરૂરી છે.
તેઓએ કહ્યું કે સીસ્ટમમાં સંભવિત ગરબડની જાણ સૌપ્રથમ તેઓને જ થતી હોય છે તેની તત્કાળ માહિતી મળે તો ઉગતાવેંત તેને ડામી શકાય છે. કારણ કે એક વખત ભરોસો તૂટે તો ફરી સ્થાપિત કરવામાં મોટો સમય લાગી જાય છે. નાણાકીય ઈકો સીસ્ટમમાં સામેલ દરેક લોકોનો વિશ્વાસ અકબંધ રહે તે જરૂરી છે. અન્યથા સીસ્ટમ પતાના મહેલની જેમ ભાંગી જાય તેમ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy