ઉના,તા.24
ઊના ગીરગઢડા અને જંગલ નાં મધ્ય વિસ્તારમાં અનેક પૂરાણીક ઈતિહાસ ધરાવતાં સ્થળો,ધાર્મિક સ્થળો આવેલાં છે જેની પર સંસોધન કરી તથ્યો આધારીત ઇતિહાસ લખાતાં રહ્યા છે જેમાં નું એક ઐતિહાસિક સ્થળ પર જાણીતા શેક્ષૈણિક વિધવાન એવાં ઊના તાલુકાના નિવૃત્ત કેની નિરીક્ષક એન ડી પુરોહિત દ્વારા કેદારેશ્વર નામનું પુસ્તક લખાયેલ હોય તેનું વિમોચન યાત્રાધામ બાપા સીતારામ બગદાણા ના મુખ્ય ટ્રસ્ટી કાંતિભાઈ એ પુરોહિતની હાજરીમાં થયું હતું.
કેદારેશ્વર મંદિરમાં મુનિ મહારાજે ચાલુ કરેલ પરંપરા પ્રમાણે 82 મી સપ્તાહનું આયોજન થયેલ ધીરુભાઈ ખોખર અને વિશાળ સ્વયંસેવક મંડળ દ્વારા આયોજન સ્થળે પુસ્તક વિમોચનમાં ઉના ગીર ગઢડા તાલુકા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસીએશનના સભ્યો અને વરિષ્ઠ અગ્રણી રામભાઈ વાળા જેશીગભાઈ સોલંકી , પ્રોફેસર ગોસ્વામી બગદાણાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ભમ્મર પે સેન્ટરનો સ્ટાફ નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ ભરતભાઈ ઉપાધ્યાય ,ડોક્ટર અભાણી, ડોક્ટર નિમાવત, ફાટસર અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાસપીઠ ઉપરથી વિદ્વાન વક્તા વાજડીના સંતરામ બાપુએ પોતાના અભ્યાસ સમયે નિરીક્ષક તપાસણીમાં આવતા પુરોહિત ના સંસ્મરણો યાદ કરી આશીર્વચન વચન આપ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન પરમાર એ કરેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy