હૈદ્રાબાદ તા.9
અત્રે ભાજપના ઉમેદવાર માધવીલતાના સમર્થનમાં રેલી કરીને અમરાવતીના સાંસદ નવનીત રાણાએ ફિલ્મી સ્ટાઈલમાં ભડકાઉ બયાન આપી ઔવેસી બંધુઓને લલકાર્યા હતા. ઔવેસીના ભાઈ અકબરુદીને 2013માં એક ભડકાઉ નિવેદન આપ્યું હતું કે, એકવાર જો 15 મીનીટ માટે પોલીસ હટાવી લેવામાં આવે તો અમે (મુસ્લિમ) બતાવી દઈશું કે કોનામાં કેટલી હિંમત છે.
અકબરુદીનના આ જૂના ભડકાઉ નિવેદન મામલે નવનીત રાણાએ ઔવેસીના ગઢમાં જ ઈંટનો જવાબ પથ્થરથી આપીને કહ્યું હતું- તેને (અકબરુદીન) 15 મીનીટનો સમય લાગશે, પણ જો પોલીસ હટાવી લેવામાં આવે તો અમને 15 સેકન્ડ લાગશે.
નવનીત રાણાએ જણાવ્યું હતું કે, અમે શું કરી શકીએ છીએ? હું અકબરુદીનને કહેવા માંગુ છું કે તમને 15 મીનીટ લાગી શકે છે. અમને માત્ર 15 સેકન્ડ લાગશે. કયાંથી આવ્યાં, કયાં ગયા.... ખબર નહીં પડે.
હાલ લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પલટવાર કરી રહ્યા છે ત્યારે નવનીત રાણાના આ ઉશ્કેરણીજનક નિવેદને ખળભળાટ મચાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની હૈદ્રાબાદની બેઠકમાં ભાજપના તેજતર્રાર નેતા માધવી લતા એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદીન ઓવૈસી સામે ચૂંટણી લડી રહી છે. ઓવૈસી 2004થી હૈદ્રાબાદના સાંસદ ચુંટાતા આવ્યા છે.
બીજી બાજુ નવનીત રાણાના નિવેદન પર એઆઈએમઆઈએમના પ્રવકતા વારિસ પઠાને રાણા પર પલટવાર કરતા કહ્યું હતું કે ભાજપના નેતા ચુંટણી ટાણે આવા નિવેદન કરે છે. જો અમારા કોઈ નેતાએ આવું નિવેદન કર્યું હોત તો તે જેલના સળીયા પાછળ હોત. નવનીત રાણાના નિવેદન સામે અસદુદીન ઓવેસીએ પ્રતિક્રિયા આપી હતી કે 15 સેકન્ડ શા માટે એક કલાક આપો, અમે તમે કહો ત્યાં આવવા તૈયાર છીએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy