છ વર્ષની બાળાને કે.જી.વગર ધો.1માં પ્રવેશના શાળાના આગ્રહ સામે હાઈકોર્ટમાં રીટપીટીશન

Gujarat | Ahmedabad | 09 May, 2024 | 12:13 PM
આપણામાંથી અનેક લોકો કે.જી.કર્યા વગર સીધા જ ધો.1માં અભ્યાસ કર્યો હતો: હાઈકોર્ટની ટકોર
સાંજ સમાચાર

અમદાવાદ,તા.9
ધો.1માં પ્રવેશની છ વર્ષની વયમર્યાદાના નિયમને સાંકળી લેતો એક અત્યંત રસપ્રદ કેસ હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે જેમાં એવો કાનૂની સવાલ ઉઠાવાયો છે કે જો કોઈ બાળક છ વર્ષનું હોય અને તેણે કે.જી.ના વર્ગ ન ભર્યા તો શું એને સીધા ધો.1માં જ પ્રવેશ આપવાનો આગ્રહ શાળા કરી શકે ? ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ દ્વારા છ વર્ષ ત્રણ મહિનાની બાળકીને કે.જી.માં પ્રવેશનો ઈન્કાર કરી તેને સીધા ધો.1માં પ્રવેશનો આગ્રહ કરતાં આ મામલે હાઈકોર્ટમાં રિટ થઈ છે.

જેની સુનાવણીમાં જસ્ટિસ નિખિલ કરિઅલે એવી ટકોર કરી હતી. કે આપણામાંથી અનેક લોકો કે.જી.કર્યા વિના જ સીધા ધો.1માં ભણ્યા હતાં. જુનિયર કેજી અને સિનિયર કેજી જેવા ટ્રેન્ડ તો હવે આવ્યા છે.

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ કરિઅલે એવી ટકોર પણ કરી હતી કે આ કેસ અત્યંત સંવેદનશીલ છે તેથી હાલ વચગાળાની રાહત આપી શકાય નહીં.કેસના મુખ્ય મુદ્દાનો નિકાલ કર્યા સિવાય જો વચગાળાના આદેશ કરી દેવામાં આવે તો દેશભરમાં હજારો-લાખો વાલીઓ હાઈકોર્ટના આદેશને ટાંકીને અરજીઓ કરશે અને એ એક ડિઝાસ્ટર થશે કોર્ટે એવી ટકોર પણ કરી હતી. કે આર.ટી.ઈ એકટ રિવર્સ કટ-ઓફની પરિકલ્પના કરે છે કે કેમ એવો સવાલ આ કેસમાં ઉભો થયો છે.જે વિસ્તૃત કાયદાકીય છણાવટ માગી લેતો મુદ્દો છે.તેથી એમાં લંબાણપુર્વકની સુનાવણીની જરૂર છે.

હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, અરજદારની રજૂઆત છે કે અરજદાર માઈનર બાળકીને શાળા દ્વારા ક્ધિડર ગાર્ડનમાં જોડાવવાની મંજુરી અપાઈ નથી.બાળકી છ વર્ષની છે અને તેણે કેજી ન કર્યું હોવા છતાંય તેને સીધા ધો.1માં જ પ્રવેશનો આગ્રહ શાળા દ્વારા કરાયો છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે આર.ટી.ઈ ધારા 2(એફ)(3)(4)(5)ને વાંચવામાં આવે તો છ વર્ષથી મોટી વયના બાળકને એની ઉંમર પ્રમાણેના વર્ગ (એજ એપ્રોપિએટ કલાસ)માં પ્રવેશ આપવાની જોગવાઈ છે.તેથી શાળાએ કોઈ ભુલ કરી હોવાનું જણાતું નથી.

આ રજૂઆતને ધ્યાનમાં લેતાં જણાય છે કે પ્રસ્તૃત કેસની અસર સમગ્ર દેશ ઉપર પડી શકે તેમ છે. તેથી કોર્ટ હાલના તબકકે કોઈ વચગાળાની રાહત આપી શકે નહીં જો કે સરકાર તરફથી અપાયેલી બાહેંધરી મુજબ ડીઈઓ મહેસાણા સુનિશ્ચિત કરશે કે જો જરૂર જણાય તો શાળા દ્વારા બાળકીને સ્પેશિયલ ટે્રનિંગ અપાશે.હાઈકોર્ટે વધુ સુનાવણી 29 જુલાઈએ મુકરર કરી છે. બાળકીના વાલી તરફથી રિટ થઈ હતી.

જેમાં એડવોકેટ દલીલ કરી હતી. કે ધો.1માં કોઈ બેઝિક લર્નિંગ હોતું નથી અને તેથી બાળકને જુનિયર કે સિનિયર કેજીમાં ફરજિયાત પણે જવું જ પડે છે. આવા તબકકે જો બાળકો કેજીમાં અભ્યાસ ન કર્યો હોય અને તેને સીધા ધો.1માં પ્રવેશ અપાય તો એના માટે એ મોટું નુકશાન થશે. સરકારની દલીલ હતી આરટીઈ કાયદામાં એજ એપ્રોપિએટ એડમિશનની જોગવાઈ છે બાળકની ક્ષમતાનું મૂલ્યાંકન કર્યા બાદ તેને સ્પેશિયલ ટ્રેનિંગ આપીને ધો.1માં સમાવી લેવામાં આવે છે.અગાઉ પણ શાળાઓમાં ડબલ પ્રમોશનની પ્રથા હતી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj