રાજુલા મામલતદાર કચેરીમાં નોન ક્રિમીલેયર સર્ટી.માં અલગ-અલગ સોગંદનામાનો નિયમ દુર કરવા માંગ

Local | Amreli | 24 April, 2024 | 10:34 AM
સામાજિક કાર્યકર રસુલભાઇ કુરેશીની મામલતદારને રજુઆત
સાંજ સમાચાર

રાજુલા, તા. 24 રાજુલા શહેરના સામાજીક કાર્યકર રસુલભાઇ કુરેશી દ્વારા મામલતદારને રજૂઆત કરવામા આવી છે. જેમા જણાવેલ કે, હાલમાં સરકારશ્રીની વિવિધ સરકારી ભરતી ના કામે વિદ્યાર્થીઓને નોન ક્રિમીલેયર સર્ટીફીકેટની જરૂરીયાત પડતી હોય છે. જેમાં વિદ્યાર્થીઓ જરૂરી કાગળો તથા નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ કઢાવવા જાય છે ત્યારે કોઈપણ વ્યક્તિને એક કરતા વધુ સંતાનોના નોન ક્રિમીલેયર કઢાવવાના હોય ત્યારે રાજુલા મામલતદાર કચેરીમાં અલગ અલગ સોગંદનામાઓની ફરજ પાડે છે. જ્યારે સોગંદનામુ કરનાર વ્યકિત વાલી તરીકે તેમના એક કરતા વધુ સંતાનોના નામ સોગંદનામામાં ઉલ્લેખ કરે છે. ત્યારે વાલી પાસે તેમના સંતાનોના અલગ-અલગ સોગંદનામા આપવા એવી ફરજ પાડે છે. જેથી ગરીબ અને મધ્યમવર્ગના માણસોને સ્ટેમ્પ પેપર અન્ય વધારાના ખર્ચનો ભાર ખમવો પડે છે. આ અગાઉ વિદ્યાર્થીઓને નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ મેળવવા એક જ સોગંદનામા માં એક કરતા વધુ સંતાનોના નામ લખી અને નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ મેળવતા હતા તો હવે પછી વાલીઓ તથા વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ સોગંદનામા માંગવામાં આવે છે. અને તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરી રાજુલા હેઠળ આવતા ગામડાઓના વિદ્યાર્થીઓના નોન ક્રિમીલેયર કઢાવવા હોય તો વાલી તરફેનુ એક કરતા વધુ સંતાનોના નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ માટે એક જ સોગંદનામુ જેમા એક ઓરીજનલ સોગંદનામુ તેમજ સોગંદનામાની એક ઝેરોક્ષ નકલ ઉપર નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ કાઢી આપવામા આવે છે. રાજુલા શહેર તેમજ મામલતદાર કચેરી હેઠળ આવતા ગામડાઓના વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ નામના સોગંદનામાઓની કેમ ફરજ પાડવામાં આવે છે. આ બાબતે યોગ્ય અરજદારો હેરાન ન થાય યોગ્ય ધટતુ કરવાની માંગણી કરવામા આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj