કોડીનાર શહેર તાલુકાની નિવૃત આંગણવાડી સંચાલિકા તથા હેલ્પર બહેનોએ ગ્રેચ્યુઈટીની બાકી રકમ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું

Local | Veraval | 04 May, 2024 | 10:26 AM
તા.7 પહેલા ગ્રેચ્યુઈટી નહિ મળે તો પરિવારો મતદાનનો બહિષ્કાર કરશે
સાંજ સમાચાર

કોડીનાર,તા.4
ગીર સોમનાથનાં કોડીનાર તાલુકાનાં નિવૃત આંગણવાડી સંચાલિકા અને હેલ્પરોએ પોતાને મળતા ગ્રેચ્યુટીનાં લાભો આપવાની માંગ સાથે કોડીનાર મામલતદારને આવેદન આપી નિવૃત આંગણવાડીની બહેનોની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાની ચીમકી આપી પહેલા તો કોડીનાર મામલતદાર આવેદનપત્ર સ્વીકાર્યા વગર જ જતા રહેતા મહિલા ઓએ રામધૂન બોલાવી.આખરે મામલદાર પરત ફર્યા અને આવેદન સ્વીકાર્યું.

કોડીનાર તાલુકા અને શહેરી વિસ્તારમાં જે તે સમયે આંગણવાડીમાં ફરજ બજાવતા અને વય મર્યાદાને કારણે નિવૃત થનારી અંદાજે 80 જેટલી બહેનોએ આજે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને તેઓની જૂની પડતર માંગ સંદર્ભે આવેદનપત્ર આપ્યું હતું.સુપ્રિમ કોર્ટે ચુકાદો આપેલ ચુકાદા મુજબ ’આંગણ વાડીમાં માનદ વેતન સેવાઓ બદલ કરેલી નોકરીને ધ્યાને લઈ ગ્રેચ્યુટી ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.’ આમ છતાં આજદિન સુધી કેટલીક નિવૃત મહિલા કર્મચારીઓને હજુ સુધી ગ્રેચ્યુટીની રકમ ચુકવવામાં આવી નથી. જે તે સમયે નોકરીમાંથી આ મહિલાઓ નિવૃત થઈ ત્યારે આઈ.સી.ડી.એસ. ઘટક તરફથી જણાવ્યા મુજબ નિયત નમુના માં અરજી, બેંકની પાસ બુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ, ડીકલેરેશન વિગેરે ડોક્યુમેન્ટ કોડીનારની કચેરીએ રજુ કર્યા હતા.

ત્યારે કચેરી તરફથી આંગણવાડી માંથી નિવૃત થયેલી મહિલાઓને જણાવ્યું હતું કે, ’હવે તમારી ગ્રેચ્યુટી એકાદ માસમાં તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે’ આમ છતાં તમામ ડોકયુમેન્ટ રજુ કર્યાને છ માસ વીતી ગયા બાદ પણ 80 જેટલી મહિલાઓને ગ્રેચ્યુટી મળી નથી.જ્યારે અધિકારીને પૂછવામાં આવે ત્યારે આઈ.સી.ડી.એસ. કચેરી તરફથી જણાવવામાં આવે છે કે, ’તમારી ગ્રેચ્યુટી અંગેની ગ્રાન્ટ ફાળવેલ નથી. ગ્રાન્ટ આવશે ત્યારે ગ્રેચ્યુટીની રકમ તમોને મળી જશે.’ ત્યારે વય નિવૃત આંગણ વાડી મહિલાઓના જે તે સમયે પગાર ભથ્થા પણ નજીવા હતા.વાસ્તવમાં આ બહેનોએ સરકાર અને સમાજની સેવા કરી છે.

આ બહેનોની માંગ છે કે, ’કરોડો રૂપિયા ચૂંટણી માં ખર્ચ સરકાર કરે છે ત્યારે અમારી નજીવી રકમ અમને ચુકવવામાં શો વાંધો...? આમ છતાં આ જરૂરિયાત મંદ નિવૃત આંગણવાડી બહેનોને તેઓની હકની ગ્રેચ્યુટીની રકમ નહીં ચુકવવામાં આવે તો આ તમામ બહેનો તેઓના પરિવાર સાથે આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવશે તેવું આવેદનમાં જણાવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj