જામનગર તા.16
જામનગરમાં સમર્પણ સર્કલથી ગોકુલનગર વચ્ચેના રોડ પર બે ચોર અને ચોરના રૂપમાં રીક્ષા ચાલકે 70 વર્ષીય વૃદ્ધના ગળામાંથી ચેઈન ચોરી લીધાનું સામે આવ્યું છે. વૃદ્ધને પાછળ બેસાડી, કારણ વગરની ગીર્દી અને ધક્કામૂકી કરી હતી.બાદમાં વૃદ્ધના ગળામાંથી તફડાવી લીધો હતો. આ ચીલઝડપની ત્યારે ખબર પડી જયારે વૃદ્ધ રીક્ષા છોડી ચુક્યા હતા. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર પોલાભાઇ કરશનભાઇ અસ્વાર (ઉ.વ.70 ધંધો-નિવૃત રહે-રામનગર, શેરી નં.5, ગોકુલનગર, જામનગર) જે પેસેન્જર રીક્ષામાં સમર્પણ હોસ્પીટલથી ગોકુલનગર તરફ જતાં હતાં. આ દરમિયાન ચોરી કરવાના ઇરાદે શંકર મંદિર પાસે રેલ્વે ફાટક પાસે પહોંચતા રીક્ષા ચાલકે પોતાની બાજુમાં બેસેલ પેસેન્જરને પાછળની શીટમાં મોકલી દીધા હતા. જે શીટમાં અગાઉથી જ બે પેસેન્જર અને ફરીયાદી વૃદ્ધ બેઠા હતા. આ દરમિયાન વચ્ચે બેસાડી તેમાં બેસાડી પાછલી શીટમાં ગીર્દી કરી હતી. બાદમાં ધક્કામુકી કરી વૃદ્ધના ગળામાં રહેલ તુલસીના દાણા વાળી સોનાની કંઠી આરોપીએ સેરવી લીધી હતી.
વૃધે આશરે ત્રણેક તોલાના વજન વાળી 1.60. ની કિંમતની સાડા ત્રણેક વર્ષ પહેલા લીધેલ માળા રીક્ષા ચાલક તથા તેની સાથેના બીજા અજાણ્યા માણસો ગળામાંથી કાપી ચોરી લીધી હતી. બાદમાં આ અંગે પોલાભાઈએ પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ પ્રકરણની પીએસઆઇ વી.બી.બરસીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy