ગિરનાર પર્વત પર 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા રોપ-વે ચોથા દિવસે બંધ

Local | Junagadh | 01 May, 2024 | 04:43 PM
પવનની ગતિ સામાન્ય થતા ફરી રોપ-વે શરૂ કરાશે
સાંજ સમાચાર

જૂનાગઢ,તા.1

ગિરનાર પર્વત ઉપર હાલ ઉનાળાની ઋતુમાં પવનની ગતિમાં સતત વધારો થતાં છેલ્લા 4 દિવસથી ગિરનાર રોપ-વે સેવા ઠપ્પ થતાં દુર-દુરથી આવતા યાત્રીકોએ પરેશાની અનુભવી હતી.

ભવનાથ ક્ષેત્રમાં રાજયભરના અને અન્ય રાજયોનાં પ્રવાસીઓ બારેમાસ મોટી સંખ્યામાં આવતા હોય ગિરનાર પર્વત પર બિરાજતામાં અંબાનાં દર્શન માટે રોપ-વે સેવા યાત્રાળુઓને અનુકુળ હોય હાલમાં છેલ્લા ચાર દિવસથી અંદાજે 60 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા રોપ-વે બંધ કરવાની ફરજ પડી છે. છેલ્લા ચાર દિવસ રોપ-વે બંધ રહ્યો છે.

આવતીકાલથી પ્રતિકુળ હવામાનની આગાહી છે. હવામાન અને પવનની ગતિ સામાન્ય થતાં રોપ-વે સેવા ફરીથી કાર્યરત થશે વધુ માહિતી માટે કસ્ટમ કેર 18002024050 પર સંપર્ક સાધવો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj