જૂનાગઢ,તા.1
ગિરનાર પર્વત ઉપર હાલ ઉનાળાની ઋતુમાં પવનની ગતિમાં સતત વધારો થતાં છેલ્લા 4 દિવસથી ગિરનાર રોપ-વે સેવા ઠપ્પ થતાં દુર-દુરથી આવતા યાત્રીકોએ પરેશાની અનુભવી હતી.
ભવનાથ ક્ષેત્રમાં રાજયભરના અને અન્ય રાજયોનાં પ્રવાસીઓ બારેમાસ મોટી સંખ્યામાં આવતા હોય ગિરનાર પર્વત પર બિરાજતામાં અંબાનાં દર્શન માટે રોપ-વે સેવા યાત્રાળુઓને અનુકુળ હોય હાલમાં છેલ્લા ચાર દિવસથી અંદાજે 60 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા રોપ-વે બંધ કરવાની ફરજ પડી છે. છેલ્લા ચાર દિવસ રોપ-વે બંધ રહ્યો છે.
આવતીકાલથી પ્રતિકુળ હવામાનની આગાહી છે. હવામાન અને પવનની ગતિ સામાન્ય થતાં રોપ-વે સેવા ફરીથી કાર્યરત થશે વધુ માહિતી માટે કસ્ટમ કેર 18002024050 પર સંપર્ક સાધવો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy