રાજકોટ, તા. 7
ભારતીય બંધારણે આપેલાં મતાધિકારનો ઉપયોગ કરવાના અવસરને મહાપર્વના મહોત્સવ તરીકે ઊજવવાની સંકલ્પના સાથે રાજકોટ રાજ પરિવારની વિન્ટેજ કારમાં બેસીને પૂર્વજોએ નિભાવેલાં ક્ષાત્રધર્મના પથ પર અવિરત આગળ ધપવા આજે રાજવી પરિવારના માંધાતાસિંહજી જાડેજા અને તેમના પરિવારે મતદાન કર્યુ હતું.
આઝાદીના અમૃતકાળમાં સંપન્ન થઇ રહેલી વર્તમાન લોકસભા ચૂંટણી-2024 માં નૂત્તન ભારત, આત્મનિર્ભર ભારત, સક્ષમ ભારત, સુરક્ષિત ભારત અને વિકસિત ભારતના ઘડવૈયાઓની મતદાનના માધ્યમથી પસંદગી કરવા માટે આજે રણજીત વિલાસ પેલેસ ખાતેથી રાજકોટ સંસદીય મત વિસ્તાર અંતર્ગત હાથીખાના મેઇન રોડ સ્થિત આંગણવાડી-59 ના મતદાતાઓ સામુહિક સ્વરૂપે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
2024 લોકસભા ચૂંટણીમાં મતદાન રાષ્ટ્ર અને સંસ્કૃતિના ઉજવળ ભવિષ્ય માટે હોવું જોઇએ. જ્ઞાતિવાદ, જાતિવાદ, વંશવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, ગમા-અણગમા, માન-અપમાન, વિચારભેદ જેવી સઘળી બાબતોથી ઉપર ઊઠીને કેવળ સનાતન - ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને સર્વાંગીણ વિકાસને કેન્દ્રમાં રાખીને મતદાન કરવું જોઇએ એવું મંતવ્ય માંધાતાસિંહજીએ વ્યકત કર્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy