રૂપાલા-ધાનાણી અને માંડવીયા ખુદને મત નહી આપી શકે

Local | Rajkot | 06 May, 2024 | 04:54 PM
રાજકોટ લોકસભા બેઠક લડી રહેલા બંને ઉમેદવાર મૂળ અમરેલીના: રૂપાલા અને ધાનાણી મતદાન કરીને પરત આવશે: મનસુખ માંડવીયા છેક પાલીતાણા મતદાન કરવા જશે
સાંજ સમાચાર

રાજકોટ તા.6

રાજકોટ અને પોરબંદર લોકસભા બેઠક માટે ચુંટણી લડી રહેલા ભાજપ અને કોંગ્રેસના ત્રણ ઉમેદવારો પોતાને મત આપી શકશે નહી પરંતુ તેઓ મતદાન કરવા માટે વતનમાં જશે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા અમરેલીના ઈશ્ર્વરીયાના મતદાર છે જયારે ધાનાણી અમરેલી પ્રોપરના મતદાન છે અને બંને રાજકોટ લોકસભા બેઠક પર ટકરાઈ રહ્યા છે.

પરંતુ તેમનો મતાધિકારનો ઉપયોગ કરવા બંને નેતાઓ અમરેલી જશે. શ્રી રૂપાલા આજે રાત્રે જ અમરેલી જવા રવાના થશે તેઓ અમરેલીના ઈશ્ર્વરીયા ખાતે આવતીકાલે સવારે મતદાન કરીને રાજકોટ પરત આવવા નીકળી જશે અને રાજકોટ જીલ્લાની હદમાં જયાં તેમનો સંસદીય મતવિસ્તાર શરૂ થશે ત્યાંથી જ તેઓ ત્રંબા સહીત અલગ અલગ ગ્રામીણ ક્ષેત્રોમાં મતદાન મથકોની મુલાકાત લેશે અને વધુ લોકોને મતદાન કરવા પ્રેરણા આપશે. શ્રી ધાનાણી પણ કાલે અમરેલીમાં મતદાન કર્યા બાદ સીધા રાજકોટ પરત આવશે. જયારે પોરબંદર લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા પાલીતાણા બેઠકમાં મતદાર છે અને તેઓ કાલે પાલીતાણામાં મતદાન કરીને પોરબંદર પરત આવી જશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj