રાજકોટ તા.6
રાજકોટ અને પોરબંદર લોકસભા બેઠક માટે ચુંટણી લડી રહેલા ભાજપ અને કોંગ્રેસના ત્રણ ઉમેદવારો પોતાને મત આપી શકશે નહી પરંતુ તેઓ મતદાન કરવા માટે વતનમાં જશે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા અમરેલીના ઈશ્ર્વરીયાના મતદાર છે જયારે ધાનાણી અમરેલી પ્રોપરના મતદાન છે અને બંને રાજકોટ લોકસભા બેઠક પર ટકરાઈ રહ્યા છે.
પરંતુ તેમનો મતાધિકારનો ઉપયોગ કરવા બંને નેતાઓ અમરેલી જશે. શ્રી રૂપાલા આજે રાત્રે જ અમરેલી જવા રવાના થશે તેઓ અમરેલીના ઈશ્ર્વરીયા ખાતે આવતીકાલે સવારે મતદાન કરીને રાજકોટ પરત આવવા નીકળી જશે અને રાજકોટ જીલ્લાની હદમાં જયાં તેમનો સંસદીય મતવિસ્તાર શરૂ થશે ત્યાંથી જ તેઓ ત્રંબા સહીત અલગ અલગ ગ્રામીણ ક્ષેત્રોમાં મતદાન મથકોની મુલાકાત લેશે અને વધુ લોકોને મતદાન કરવા પ્રેરણા આપશે. શ્રી ધાનાણી પણ કાલે અમરેલીમાં મતદાન કર્યા બાદ સીધા રાજકોટ પરત આવશે. જયારે પોરબંદર લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા પાલીતાણા બેઠકમાં મતદાર છે અને તેઓ કાલે પાલીતાણામાં મતદાન કરીને પોરબંદર પરત આવી જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy