►શાંતિ, સંયમ અને શિસ્તપૂર્વક લડત લડાશે
રાજકોટ તા.8
ગઈકાલે ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ આજરોજ ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી અને ઘટીત થયેલ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું ત્યારે તેના વળતા જવાબમાં ક્ષત્રિય સંકલન સમીતીના સભ્ય દેવેન્દ્રસિંહ જાડેજા, ક્ષત્રિય મહિલા અગ્રણી ભાર્ગવીબા ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી.
આ પત્રકાર પરિષદમાં દેવેન્દ્રસિંહ ગોહેલ જણાવે છે કે, અત્યાર સુધી ક્ષત્રિય સમાજની સંકલન સમીતી દ્વારા શાંતિપૂર્વક જ લડાઈ લડી હતી. ક્ષત્રિય સમાજના એક પણ સ્થળે માફી માંગી નથી. આથી પરસોતમ રૂપાલાને માફી આપવાનો સવાલ જ નથી. તેઓએ હંમેશા મીડીયા અને મધ્યસ્થ કાર્યાલય થકી માફી માંગી છે. આજસુધી માંગેલી માફી રાજકીય સાથે તોલી હતી. આથી માફી પણ રાજકીય હતી. તેઓએ એક બહેનોને માફી માંગી નથી. આથી માતૃશક્તિની માફી કયારેય મળશે નહી. આગામી સમયમાં સંકલન સમીતીની બેઠક મળશે અને આગામી કાર્યક્રમોની રણનીતિ જાહેર કરવામાં આવશે. આજની માફી માત્ર વોટીંગ વર્ગ માટેની માફી હતી. ક્ષત્રિય સમાજના નામે ગંદી રાજનીતિ કરે છે. ક્ષત્રિય સમાજના નાનામાં નાનો માણસ પોતાની ધ્યાન રાખે છે. અત્યાર સુધી સંયમથી જ કામ કર્યુ છે. પરસોતમ રૂપાલા અને તેમના અંગત લોકો દ્વારા અમને ઉશ્કેરવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા તેના સબુત અમારી પાસે છે.
ક્ષત્રિય સમાજની અસ્મીતા પર પ્રહાર થયો છે.
અગાઉ પરસોતમ રૂપાલા સાથે બે બેઠક થઈ હતી. હવે કોઈ બેઠક થશે નહી.અત્યારે માત્ર અલ્પવીરામ પુર્ણવિરામ નથી: લડત ચાલુ રહેશે: ભાર્ગવીબા ગોહિલ ક્ષત્રિય મહિલા અગ્રણી ભાર્ગવીબા ગોહિલ પત્રકાર પરિષદ સંબોધતા જણાવે છે કે, અમારી માંગને રાજકીય રીતે લઈ જવાય છે. અમારી નાની માંગ હતી જે માફી માંગવામાં આવી તે રાજકીય હતી. આગામી સમયમાં જે લડત થશે તે શાંતિ, સંયમ અને શીસ્તપૂર્વક જ થશે અને માઈક્રોપ્લાનીંગથી કામ કરાશે. અત્યારે માત્ર અલ્પવિરામ છે, પુર્ણવિરામ નથી. લડત ચાલુ રહેશે. એકતાની શક્તિને ઉંડા બંધારણમાં ઘડવાની નીતી થઈ રહી છે. મનોમંથન બાદ નિર્ણય લેવાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy