ચૂંટણી સ્ટાફની અવર-જવર માટે એસટી નિગમ રાજયભરમાં 4300 બસોની ફાળવણી કરશે

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 02 May, 2024 | 04:14 PM
રાજકોટ એસ.ટી.વિભાગ પણ તા.6 અને 7નાં રોજ 86-બસો ફાળવશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.2
હાલ રાજકોટ સહિત રાજય ભરમાં વેકેશન અને લગ્ન ગાળાની સિઝન અંતર્ગત બસો ચિક્કાર દોડી રહી છે. અને વ્યાપક ટ્રાફિક નિકળ્યો છે.ત્યારે, આગામી તા.6 અને 7નાં રોજ આ ટ્રાફિકમાં થોડી બ્રેક લાગી જશે કારણ કે લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર હજારો સરકારી કર્મચારીઓને પોલીંગ બુથ સુધી મતદાન સામગ્રી સાથે પહોંચાડવા અને ત્યાંથી પરત લાવવા માટે એસ.ટી.નિગમની 50-ટકા જેટલી બસો રોકાઈ જવાની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા ભાગે ચૂંટણીઓ વધુ પોલીંગ સ્ટાફની અવર-જવર માટે એસ.ટી.ની સંખ્યા બંધ બસો રોકી લેવામાં આવે છે ત્યારે, હવે ગુજરાતમાં, આગામી તા.7 મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર છે.અને આ ચૂંટણીમાં ફરજ બજાવનાર હજારો સરકારી કર્મચારીઓની અવર-જવર માટે એસ.ટી.નિગમ દ્વારા 4300 બસોની ફાળવણી જુદા-જુદા જિલ્લાઓમાં કરનાર છે.

એસટી નિગમનાં સુત્રો માંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ જુદા-જુદા જિલ્લાઓમાં તા.6 અને 7નાં રોજ બસોની ફાળવણી કરી દેવામાં આવનાર છે.ઉલ્લેખનીય બાબતએ પણ છે કે રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા પણ પોલીંગ સ્ટાફની અવર-જવર માટે તા.6 અને 7નાં રોજ 86-બસોની ફાળવણી કરનાર છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj