રાજકોટ, તા. 18
પ.પૂ.શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ રાજકોટ દ્વારા પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુનાં પ4માં મહાસમાધિ દિવસ એટલે કે ચૈત્ર સુદ-13, 1970માં સૂર્યા એપાર્ટમેન્ટ, બ્રિચકેન્ડી હોસ્પિટલની સામે, મુંબઇમાં પ.પૂ. શ્રી સદગુરૂ દેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુએ આ માનવસૃષ્ટિમાં તેઓએ કરેલા દિવ્ય માનવ સેવાના રાહત કાર્યો તથા માનવધર્મ સ્થાપિત કરીને દિવ્યજયોત રૂપી શરીર છોડીને સૂક્ષ્મ રૂપમાં બિરાજયા એટલે કે ચૈત્ર સુદ-13, 2024માં તેઓનાં મહાસમાધિનાં પ4 વર્ષ પૂર્ણ થાય છે. આ પ4માં મહાસમાધિ દિવસ એટલે કે ચૈત્ર સુદ-13, 1970 રવિવારનાં 2.38 મીનીટે શરીર છોડેલ હતું.
આ મહાસમાધિ નિમિત્તે તા.21મીના રવિવારે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે 9 થી 10.30 પરમ પૂજયશ્રી સદગુરૂદેવ ભગવાનશ્રીનું ષોડષોપચાર સમુહ પૂજન, રામરક્ષા સ્ત્રોત, અભિષેક, પ્રાર્થના, સ્વાધ્યાય અંતર્ગત શ્રી રામ સ્તવરાજ પાઠ શ્ર્લોક, સમુહપાઠ તથા એક એક શ્ર્લોક સાથે પુષ્પાંજલી અપાશે. બપોરે 11.30 કલાકે, સારસ્વત બ્રાહ્મણ બ્રહ્મભોજન તથા સંત ભગવાન ભંડારો તથા દક્ષિણા, સદગુરૂ આશ્રમની અંદર, રાજકોટ ખાતે રાખેલ છે. આ ભંડારાનાં દાતા દર્શનભાઇ નંદાણી તથા રીટાબેન નંદાણી તથા પ્રકાશચંદ્ર ધીરજલાલ ઠરારનાં પુત્ર ડો. મોનીલ પી. ઠકરાર સહભાગી થયેલ છે.
બપોરે 12 થી 1.30 સુધી ભોજનરૂપી સદગુરૂ મહાપ્રસાદ (સર્વ ધર્મપ્રેમી ભાઇ-બહેનો માટે પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમની સામેનું ગ્રાઉન્ડ, આશ્રમ માર્ગ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.
બપોરે 2.45 કલાકે પરમ પૂજય શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રીનું ચરણ પાદુકા પૂજન થશે. બપોરે 4 થી 6 સુંદરકાંડના સમુહ પાઠ, સંગીતમયી શૈલીથી નિજ મંદિર હોલમાં કરવામાં આવશે. તા. 21ના રવિવારે સાંજે 6 કલાકે નિજમંદિર હોલમાં સંગીતમય શૈલીમાં શ્રી રામચરિતમાનસજીના અખંડ પાઠ થશે. સર્વધર્મપ્રેમી ભાઇ-બહેનો તથા ગુરૂભાઇ-બહેનોને પ.પૂ. શ્રી સદગુરૂદેવ રણછોડદાસજીબાપુનો મહાસમાધિ દિવસનાં યોજાયેલા કાર્યક્રમોમાં પધારવા પ્રવીણભાઇ વસાણીએ અનુરોધ કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy