રાજકોટ, તા.23
શહેરમાં વધુ બેના હૃદય થંભી જતાં તેઓનાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. રામનાથપરામાં રહેતો યુવક સુતા બાદ સવારે ઉઠ્યો જ નહી. જ્યારે સ્વામી વિવેકાનંદ ટાઉનશિપ જીવરાજ પાર્કમાં રહેતાં કિરણબેન રાજા પોતાના ઘરે ઢળી પડતાં સારવારમાં દમ તોડી દિધો હતો.
પ્રથમ બનાવની વિગત અનુસાર રામનાથપરા ભવાનીનગર શેરી નં- 4 માં રહેતાં સંજય ભરતભાઈ પરમાર (ઉ.વ.30) નામનો યુવક ગઈ કાલ રાત્રે સૂતા બાદ ઉઠ્યો જ નહી જેથી પરિવારજનોએ યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તેઓ મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે.
વધુ એક બનાવની વિગત મુજબ કિરણબેન ચંદ્રેશભાઈ રાજા (ઉ.વ.46 રહે- સ્વામી વિવેકાનંદ ટાઉનશિપ જીવરાજ પાર્ક) નામની મહિલા આજે સવારે સાતેક વાગ્યાની આસપાસ પોતાનાં ઘરે હતી ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા હતા. બાદ તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો. તેણીને સંતાનમાં એક દિકરો અને એક દિકરી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે નોંધ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy