(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 1
સુરેન્દ્રનગર જિલ્લો ધાર્મિક જિલ્લા તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે આવેલા સુદામા કુટીર આશ્રમ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે માં હરસિધ્ધિ માતાજીના મંદિરનું નવનિર્માણ ના ભાગ સ્વરૂપે ત્રિદિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે મહંત શ્રી રામ સ્વરૂપદાસજી મહારાજ મોનીજી દ્વારા સમગ્ર ધાંગધ્રા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સંતો મહંતોને સંતવાણી કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ત્યારે સંતવાણી ના કાર્યક્રમમાં નૈતિકભાઈ વ્યાસ તેમજ યુવરાજદાન ગઢવી તેમજ ઉત્સાહદ ધ્રુવરાજ તેમજ મંજુબા સંસ્કાર વિધિ નવીનનાથ બાપુ ભજન સમ્રાટ તેમજ બટુક દાદા સહિતના કલાકારો સાથે સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ધાંગધ્રા ના 42 ગામના રામજી મંદિરના પૂજારી પણ આ સંતવાણી કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે હરસિધ્ધિ માતાજીના મંદિરનું નવનિર્માણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે મહંત શ્રી રામ સ્વરૂપદાસજી મહારાજના કૃપાપાત્ર શ્રી શ્યામ સેવકદાસજી મહારાજ અને ત્યાંના સ્થાનિક આગેવાનોના અર્થાત પ્રયાસથી ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાલથી શરૂ થયો છે .
હવે આજના દિવસે મંડપ પ્રવેશ યજ્ઞ પૂજન વિધિ સાયન પૂજા આરતી થાળ સૈયાધીવાસ જેવા કાર્યક્રમો યોજાવાના છે ત્યારે બુધવારના દિવસે પણ સ્થાપિત દેવની પૂજા શાંતિ પુષ્ટિ હોમ ન્યાસ વિધિ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આરતી થાળ જળયાત્રા અભિષેક જેવા કાર્યક્રમોનો પણ આયોજન કરવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy