ધોરાજી, તા. 24
ધોરાજીન સ્વાતી ચોક ખાતે આવેલ પ્રગટ હનુમાનજીના મંદિરે હનુમાન જયંતી નિમિતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ હતી. જેનો વિશાળ સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે પુજા-અર્ચના અને મહાઆરતીના દર્શનનો ભાવીકોએ લાભ લીધેલ હતો અને સૌએ વિશ્ર્વ શાંતિ માટે પ્રાર્થના કરેલ હતી. આ કથાના મુખ્ય યજમાન પ્રવીણભાઇ વોરા, અરવિંદભાઇ વોરા, મનોજભાઇ વોરા અને મેહુલભાઇ વોરા બિરાજમાન થયેલ હતા. આ તકે એન્જોય ગુ્રપના સેવાભાવી યુવાનો દ્વારા પોતાની સેવાઓ આપેલ હતી. ભાવિકોને પ્રસાદનું વિતરણ કરાયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy