રાજકોટ તા.18
રાજકોટના સીમાડા પર આવેલ શાપર-વેરાવળ, પડવલા વિસ્તારમાં તાજેતરમાં ભૂકંપના આંચકાથી ધરા ધણધણી ઉઠતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામેલ હતો. જેના પગલે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ કરાયો હતો.
જે બાદ ગત સોમવારે ગાંધીનગરથી સીસ્મોલોજીકલ રીસર્વેના અધિકારીઓ ડો. નીસર્ગ મકવાણા અને દિલીપસિંહએ દોડી આવી શાપર-વેરાવળ તેમજ પડવલા અને ગુંદાસરા વિસ્તારમાં સર્વે કામગીરી કરી હતી. આ અંગે જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે જણાવ્યું હતું કે શાપર-વેરાવળ વિસ્તારમાં ભૂકંપ માપક યંત્ર મુકવામાં આવનાર છે.
દરમિયાન સીસ્મોલોજીકલ રીસર્વેના અધિકારીઓની ટીમની રીસર્વેની કામગીરી બાદ તેમના રીપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે શાપર-વેરાવળ, પડવલા, ગુંદાસરા વિસ્તારમાં ભૂકંપના આંચકાના કારણે જમીનમાં અને અનેક બિલ્ડીંગોમાં તીરાડો પડી જવા પામેલ છે. ગાંધીનગર સીસ્મોલોજીકલ રીસર્વેના અધિકારીઓની ટીમ દ્વારા શાપર-વેરાવળ, પડવલા વિસ્તારમાં નદી-નાળા, તળાવ, ટેકરા સહિતના વિસ્તારોની મુલાકાતો લઈ સતત ત્રણ કલાક સુધી સર્વે કામગીરી કરી નિરીક્ષણ કયુર્ં હતું.
સીસ્મોલોજીકલ રીસર્વેના અધિકારીઓના પ્રાથમિક રીપોર્ટમાં તેમણે જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં એ સીસ્મીક ઝોન-3માં આવતો હોય જેમાં જમીનની ઉંડાઈથી 10 કિ.મી. નીચે પાણી અને પથ્થર ભેગા થતા હોય આ ભૂકંપના આંચકાથી ધરા ધણધણી હતી. દરમિયાન કલેકટરે આજે જણાવ્યું હતું કે શાપર-વેરાવળ વિસ્તારમાં આગામી ટુંક સમયમાં ભૂકંપ માપક યંત્ર મુકવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy