રાજકોટ, તા.19
ગુજરાત બાર કાઉન્સિલના કોપ્ટ મેમ્બર તરીકે રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી કિશોરભાઈ સખીયા અને અશોકભાઈ ડાંગરની નિમણુંક થઈ છે. કિશોરભાઈ આર. સખીયા છેલ્લા 30 વર્ષથી રેવન્યુ, સિવિલ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપ લીગલ સેલના કારોબારી સભ્ય છે. રાજકોટ રેવન્યુ પ્રેકટીશનર્સ એસો.ના ઉપપ્રમુખ છે. રેવન્યુ પ્રેકટીશનર તરીકે ખુબ જ મહત્વપુર્ણ અને જટીલ કેસો લડી ચુકયા છે.
અશોકભાઈ ડાંગર દલીત અગ્રણી છે. રાજકોટ નોટરી એસો.ના હોદ્દેદાર છે. રાજકોટ બાર એસો.ના કારોબારી સભ્ય તરીકે અગાઉ ચુંટાયેલ હતા. હાલ ક્રિમિનલ બારના કારોબારી સભ્ય છે. આ નિમણુંકને આવકારવા તથા શુભેચ્છા આપવા માટે રાજકોટ રેવન્યુ પ્રેકટીશનર એશોસીએશનના પ્રમુખ તથા સિનિયર ધારાશાસ્ત્રી એન. જે. પટેલની ઓફીસે કાર્યક્રમ આયોજીત કરાયેલ. આ તકે રેવન્યુ પ્રેકટીશનર્સ એસો.ના ચેરમેન દિલીપભાઈ જે. મીઠાણી, પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ આર. દેસાઈ, શહેર ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઈ એમ. શાહ, સહ સંયોજક કમલેશભાઈ ડોડીયા, વકીલ અગ્રણીઓ સર્વે યતિનભાઈ ભટ્ટ, જી. એલ. રામાણી, વી. એમ. પટેલ, અર્જુનભાઈ પટેલ, કમલેશભાઈ શાહ, એન. જી. દવે, બી. એમ.પટેલ, અશ્વીન મહાલીયા, ભાવેશ રંગાણી, પ્રણવ પટેલ, હેમંત ભટ્ટ, લલીત કાલાવડીયા, મહેશ સખીયા, હિતેશ મહેતા, અશ્વીન સેખલીયા, કેતન આર. ગોસલીયા, અતુલભાઈ દવે, વિજયભાઈ વ્યાસ, યોગેશભાઈ સોમમાણેક, અંજનાબેન ખુંટ, રાકેશભાઈ ગોસ્વામી, દિલેશભાઈ શાહ, જીજ્ઞેશ માલકીયા વગેરેએ શુભેચ્છા પાઠવેલ. નિમણુંક બદલ કિશોરભાઈ સખીયા અને અશોકભાઈ ડાંગરે ભાજપ લીગલ સેલ ગુજરાત પ્રદેશના સંયોજક તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલ, વાઈસ ચેરમેન મુકેશભાઈ કામદાર, પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક અનીલભાઈ આર. દેસાઈ, શહેર લીગલ સેલ સંયોજક પીયુષભાઈ શાહનો આભાર માનેલ હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy