જામનગર તા.22
જામનગરના શુભલક્ષ્મી સેવા મંડળ દ્વારા જામનગરથી માટેલ જતા પદયાત્રીઓના સંઘ માટે તા. 13 થી 15 દરમિયાન વિવિધ સ્થળોએ રાત્રિ રોકાણ, મેડિકલ કેમ્પ તેમજ છાસ, પાણી ની બોટલ સહિતની વસ્તુઓ વિતરણ કરવાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્રી નવરાત્રી દરમિયાન જામનગરથી માટેલ પદયાત્રીઓના સંઘ રવાના થાય છે તેમની સેવામાં છેલ્લા 23 વર્ષથી સતત શુભલક્ષ્મી સેવા મંડળ દ્વારા જુદી-જુદી જગ્યાએ જરૂરી મેડીકલ કેમ્પ તથા નાઇટ હોલ્ટ (આરામ કરવાની સુવિધા) છાસ, પાણીની બોટલ, ઠંડા રૂમાલ વિતરણના સેવા કેમ્પ રાખવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરાયું હતું. તા. 13 થી 15 દરમિયાન સોયલ ટોલનાકા, લતિપર તથા પંચાસિયા ગામ ખાતે મેડિકલ કેમ્પ,છાસ, પાણીની બોટલ, ઠંડા રૂમાલ વિતરણ તથા રાત્રિ રોકાણ સહિતની સેવા પૂરી પાડવામાં આવી હતી.
સેવા કેમ્પમાં શુભ લક્ષ્મી ગ્રુપના અશોકભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, સુરેશભાઈ સોલંકી, કિશોરભાઈ પરમાર, રમણીકભાઈ બારડ, જીગ્નેશભાઈ ઝાલા, મનીષભાઈ બારડ, હર્ષદભાઈ કંચવા, દિલીપભાઈ કંચવા, કપિલભાઈ ચાવડા, હિતેશભાઈ ચૌહાણ, દીપકભાઈ ચુડાસમા, રાજુભાઈ ભટ્ટી, અશોકભાઈ મકવાણા, ભીખાભાઈ, આનંદ પરમાર, જીતુ ડાડા સહિતના દ્વારા સેવા આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy