જામનગર તા.17
જામનગર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આ આ વખતે જામનગર લોકસભાની ચૂંટણીમાં વિદેશથી 7 મતદારો મતદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો કુલ કેટલા એનઆરજી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા રજીસ્ટ્રેશન કરાવે છે. તેનો આખરી આંક તા.19 એપ્રિલે જાહેર થશે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રોજગાર-શિક્ષણ માટે ભારતનો કોઈ નાગરિક વિદેશમાં વસતો હોય અને હજુ 5 તેને અન્ય દેશનું નાગરિકત્વ મળ્યું ન હોય તો તે નોન રેસિડેન્ટ ઇન્ડિયન તરીકે ચૂંટણી પંચની વેબસાઈટમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેમાં તેને ફોર્મ 6અ ભરીને વિવિધ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડે છે અને ત્યારબાદ જ તે મત આપવા માટે માન્ય ગણાય છે. આ રીતે રજીસ્ટ્રેશન કરાવનારા એનઆરઆઈને ઈલેક્ટ્રોલ ફોટો આઈડેન્ટી કાર્ડ અપાતો નથી અને તે ઓરિજનલ પાસપોર્ટ દર્શાવીને વોટ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશમાં વસતા ગુજરાતીઓની સંખ્યા ખૂબ જ વધુ છે છતાં ત્યાંથી ચૂંટણી વખતે મતદાન માટે રજીસ્ટ્રેન કરાવનારાનું પ્રમાણ સાધારણ જોવા મળે 2017 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે 64 એનઆરજી દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આ અંગે જાણવા મળે છે કે વિદેશમાં વસતા ભારતીય માટે ઓનલાઇન વોટિંગ કે પોસ્ટર પહેલેથી વ્યવસ્થા નથી જેને કારણે વિદેશમાં કરતા ભારતીય મતદારોએ મતદાન માટે પોતાના મત ક્ષેત્રે આવું જ પડે છે જેના કારણે મોટાભાગના લોકો રજીસ્ટ્રેશન કરાવવાનું ટાળે છે એનઆરઆઈ મતદારો વધુ સંખ્યામાં મતદાન માટે આવે તેવા માટે એના માટે યોગ્ય પ્રકાર પ્રચાર કરવામાં આવે તે જરૂરી છે.
2014 ની લોકસભાની ચૂંટણી વખતે સમગ્ર ભારતમાંથી 13039 એન.આર.આઈ મતદારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જેમાંથી માત્ર 8 જ એન.આર.આઈ મતદારોએ મતદાન માટે આવ્યા હતા. જેમાં ગુજરાતમાંથી સૌથી વધુ ચાર મતદારો મતદાન માટે આવ્યા હતા.અત્યાર સુધીમાં જામનગર લોકસભાની બેઠક માટે 7 મતદારો રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેનો આખરી આંકડો 19 એપ્રિલ જાહેર કરવામાં જાહેર થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy