અમૃતસર,તા.9
અત્રે દમદમી ટકસાલના પ્રમુખ સેવાદાર ભાઈ હરનામસિંહ ખાલસાના એક નિવેદન પર ખળભળાટ મચી ગયો છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, શિખોએ ઓછામાં ઓછા પાંચ બાળકો પેદા કરવા જોઈએ. જો તેઓ તેમની સાર સંભાળ ન રાખી શકતા હોય તો ચાર બાળકો અમને સોંપી દો. અમે તેનું પાલન પોષણ કરશું. શિખ સેવાદારના આ નિવેદન પર પંજાબ મહિલા આયોગ ભડકી ઉઠયું છે. તેમણે કહ્યું હતું કે મહિલા બાળકો પેદા કરવાનું મશીન નથી.
દમદમી ટકસાલના મુખ્ય સેવાદાર ભાઈ હરનામસિંહ ખાલસાએ પોતાના નિવેદનના સમર્થનમાં જણાવ્યું હતું કે બાળકોની વધુ સંખ્યા થવાથી પારિવારિક મૂલ્યો બચાવવામાં સહાયતા મળશે અને સમાજ મજબૂત બનશે.
પંજાબ મહિલા આયોગના ચેરપર્સને રાજ લાલી ગિલે સેવાદારના આ નિવેદનની ગંભીર નોંધ લઈ ફટકાર લગાવી સંભળાવી દીધું છે કે મહિલા બાળકો પેદા કરવાનું મશીન નથી.
ઉલ્લેખનીય છે કે, દમદમી ટકસાલ શિખ સંગઠન છે. તેના પ્રમુખ સ્થાને જર્નૈલસિંહ ભીંદરાણવાલે રહી ચૂકયા છે. અલગ ખાલિસ્તાનની માંગ કરનાર ભીંદરાણવાલે 1984માં સ્વર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુસ્ટારમાં માર્યા ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy