માધવપુર ઘેડમાં શ્રીકૃષ્ણ રૂક્ષ્મણજીના વિવાહ ઉત્સવ અને તે નિમિત્તે ભરાતા મેળામાં માનવ મેદની ઉભરાઈ રહી છે. ગઈકાલે 10મના દિવસે શ્રી કૃષ્ણ પ્રભુનું બીજુ ફુલેકુ સંપન્ન થયું છે. આજે રાત્રીના ત્રીજું એટલે કે છેલ્લું ફુલેકુ રાબેતા મુજબ નિકળી વાજતે ગાજતે ઢોલ શરણાઈના સૂરે દાંડીયા રાસની રમઝટ સાથે હર્ષ ઉલ્લાસ સાથે નિકળશે. મેળા ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમનો લોકો મોજ માણી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત ચુસ્ત છે કોઈપણ જાતની મેળામાં લોકોને અગવડતા જણાતી નથી પાકિર્ંગ વ્યવસ્થા સરસ છે મેળામાં વિવિધ જાત જાતની દરેક પ્રકારની વસ્તુઓ વહેંચવા આવી છે. અને લોકો ખરીદી રહ્યા છે. ખાણી-પીણીના સ્ટોલ શુધ્ધ અને સુવ્યવસ્થિત દેખાય છે.
(તસ્વીર: આશીષ પોપટ-માધવપુર/ઘેડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy