(મનીષ ચાંદ્રાણી દ્રારા),વિરપુર,તા.19 આપણા હિન્દુ સંસ્કૃતિના મુખ્ય સ્ત્રોત વેદ..પુરાણ..શાસ્ત્રો.. ની અંદર જે ધાર્મિક તીર્થ સ્થાન-નદીઓનો જેમાં સમાવેશ છે તથા જે ભારત દેશ ના રાષ્ટ્રગાન માં જેનો ઉલ્લેખ છે તે પવિત્ર યમુના નદીની છેલ્લા ઘણા વર્ષોથી ફેક્ટરી ના કેમિકલ તથા અન્ય પ્રદૂષણથી અતિ દૂષિત થયેલ છે. જેના માટે ભારતભૂમિના સંતો મહંતો વૈષ્ણવ આચાર્ય તેમજ સર્વ સનાતન હિંદુ સંગઠનો એ અનેક રજૂઆત વર્ષોથી કરી રહ્યા હોવા છતાં તે બાબત ધ્યાન નથી દેવાતુ... તેથી આ ગંભીર મુદ્દા પર ધ્યાન દોરવા માટે છેલ્લા ઘણા મહિનાઓ થી જુદા જુદા ગામની વૈષ્ણવ સમિતિઓ યમુનાજી શુદ્ધિકરણ અભિયાન હેઠળ સહી ઝુંબેશ એટલે કે રજિસ્ટર માં લોકોનું નામ મોબાઈલ નંબર સહી લઈને એ રજિસ્ટર યુપી સરકારને મોકલી ધ્યાન દોરવા....તેમજ સોશ્યલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરી રહી છે. જેથી આ બાબતને સરકાર ગંભીતાપૂર્વક લે.તે જરૂર છે. આ અભિયાનમાં રાજકોટ, ગોંડલ, મુંબઈ, અમદાવાદ, આણંદ, બગસરા, જેતપુર, જૂનાગઢ, પોરબંદર, ઉપલેટા, વાપી વગેરે ગામોનાં વૈષ્ણવો પોતાના યમુનાજી માટે લોકોને જાગૃત કરવાના ઘણા પ્રયાસો કરી રહ્યા છે. જેમાં પોરબંદર વિસ્તારના પુર્વ સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ગોંડલ વિસ્તારના ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા જામનગર સાંસદ પૂનમબેન માડમ એ પણ સહી કરી સાથ પુરાવ્યો છે. તો ગંગાજીનુ શુદ્ધિકરણ થયું તેમ જલ્દી થી જલ્દી યમુનાજી પણ પોતાના પાવન સ્વરૂપમાં વ્રજ માં પધારી શકે તે માટે પગલાં લે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy