રાજકોટ તા.27
ગોંડલના વેજાગામમાં વેપારીના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડ અને દાગીના સહિત રૂ.97 હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટતાં ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે હાલ ગોંડલમાં ખોડલધામ રેસિડેન્સીમાં તિલક એપાર્ટમેન્ટમાં રહેતાં અને મૂળ વેજાગામના વતની રસેષભાઈ વ્રજલાલ દુધાત્રા (ઉ.વ 38) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલમાં ગુંદાળા રોડ, મેલડીમાના મંદિર પાસે હોલસેલની દુકાન ચલાવે છે. તેઓ પરીવાર સાથે દશેક દિવસથી વેજાગામે પ્રસંગમાં રોકાયેલ હતા.
ગઈકાલે સવારે દશેક વાગ્યે તેઓ તેની માતા, પત્ની અને પુત્ર સાથે રાજકોટ હોસ્પીટલના કામે ગયેલ હતા. બપોરના આસરે ત્રણેક વાગ્યે વેજાગામે ઘરે આવેલ અને ડેલીનુ તાળુ ખોલતા અંદરથી આંગળીયો મારી દિધેલાનુ લાગતા બાજુમા કમલેશભાઇ છગનભાઇ દુધાત્રાના મકાનની ડેલી ખોલતા તેમની ડેલી પણ અંદરના ભાગેથી આંગળીયો મારી દિધેલ હોય જેથી બાજુમા થાંભલા ઉપરથી ચડી અમારી ડેલીમા ગયેલ અને અંદરથી આંગળીયો મારેલ હોય તે ખોલી મકાનના દરવાજા જોતા ખુલ્લો અને નકૂચો તુટેલી હાલતમા જોવામા આવેલ હતો.
ઘરની અંદર તપાસ કરતા રૂમમા કબાટનો દરવાજો ખુલ્લો હતો અનેસમાન વેર વિખેર કરેલ હતો. બાજુના રૂમમા જોતા ઠાકોરજીના મંદિરમા પણ અસ્ત વ્યસ્ત સમાન હતો. કબાટની અંદર આવેલ નાની તીજોરીમા રાખેલ રોકડા રૂપિયા 70 હજાર જોવામા આવેલ નહીં તેમજ ચાંદીના સાંકળા જોડી-2 રૂ.7 હજાર તેમજ બાજુના રૂમમાં ઠાકોરજીના મંદિરમાથી સોનાની બુટી જોડી-1 રૂ.15 હજાર, સોનાની વિંટી રૂ.5 હજાર સહિત રૂ.97 હજારના મુદ્દામાલની ચોરી થયાનું સામે આવ્યું હતું.
જેથી તસ્કરો મકાનની દિવાલ ટપી અંદર ઘુસી ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy