કિશોરભાઈ સંઘાણી એટલે એવું વ્યક્તિત્વ જે સદાયે સમાજના ભલાં માટે તત્પર અને સતત કાર્યરત હોય. કિશોરભાઈ વિવિધ ધાર્મિક, સેવાકીય અને સામાજિક સંસ્થાઓ સાથે ખૂબ જ સક્રિય રીતે સંકળાયેલા રહેવાની પ્રકૃતિ ધરાવે છે. 18 એપ્રિલે જન્મેલા કિશોરભાઈ સાલસ અને વિનમ્ર સ્વભાવની સુવાસ ધરાવતાં, લેઉવા પટેલ સમાજના યુવા અગ્રણી છે.
દાયકાઓથી શહેરના લાલબંગલા સર્કલ નજીક મધુરમ એન્ટરપ્રાઈઝ નામથી પાર્ટનરશીપ બિઝનેસ ધરાવતાં કિશોરભાઈ સંઘાણી શહેરની જાણીતી સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર ભૂમિકાઓ નિભાવી રહ્યા છે. કિશોરભાઈ નામાંકિક્ત સેવાકીય સંસ્થા આણદાબાવા સેવા સંસ્થાના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ લેઉવા પટેલ સેવા સમાજ- જામનગર જિલ્લાના ખજાનચી, ઠેબા ના આદર્શ કેળવણી મંડળના મંત્રી, જામનગર પાંજરાપોળના કારોબારી સદસ્ય, જામનગર જિલ્લા આયુષ સોસાયટીના ડાયરેક્ટર, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ ક્રો- ઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર તથા લોટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્ય તરીકે ઘણાં સમયથી ફરજો બજાવે છે. તેઓનો મોબાઇલ નંબર 99980 01581 છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy