(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 1
ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને ગ્રીષ્મ લહેર વખતે કાળઝાળ ગરમીથી પશુઓને બચાવવા માટે નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, ગરમીના કલાકો એટલે કે સવારે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી પશુઓને આરામ કરવા માટે છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા. બપોરના સમયે ભીનાં કપડાંથી પશુનું શરીર ઢાંકવું જોઈએ. યોગ્ય હવા ઉજાસ માટે પશુઓના શેડના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી. દિવસે તડકો હોય તે સમય દરમ્યાન પશુઓના શેડમાં શણના ભીના કોથળા બાંધવા. ડાંગરની પરાળી વગેરેથી છત/ છાપરા ઢાંકવા, છતને સફેદ કલરથી રંગવી.
વધુમાં, પશુઓના પીવાના પાણીના હવાડા સ્વચ્છ રાખવા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. પશુઓને દિવસમાં ઓછામાં ઓછા એકવાર, શક્ય હોય તો દિવસના ઠંડકના કલાકો દરમ્યાન એટલે કે વહેલી સવારે કે સાંજે સ્નાન કરાવવુ. દિવસના ગરમીના કલાકો દરમ્યાન પશુઓ અને પક્ષીઓનું પરિવહન કરવાનું ટાળવુ. ચરાવવાનો સમય વહેલા સવારે કે સાંજના સમયે નિયત કરવો. લીલાચારાની સાથે, પશુઓને ઉચ્ચગુણવત્તાવાળો ખોરાક મળી રહે તે મુજબ ખાણ-દાણ અને પૂરક આહારનો સમાવેશ કરવો અને ખોરાકની ગુણવત્તા વધારતા તત્વો (ઋયયમ ફમમશશિંદયત) ઉમેરવા જોઈએ. નાના, ગાભણ અને દૂધાળા પશુઓની વિશેષ કાળજી રાખવી અને ગરમીના તણાવના લક્ષણો માટે નિયમિત દેખરેખ રાખવી. સ્થાનિક ગ્રીષ્મ લહેર બાબતની આગાડિઓ પરત્વે ધ્યાન આપવું. ગ્રીષ્મ લહેરના સમયગાળામાં પશુહાટ કે પશુમેળાનું આયોજન કરવું નહી. પશુઓના ચરિયાણ વિસ્તારમાં મૃત પશુઓનો નિકાલ કરવો નહી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy