(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 27
સુરેન્દ્રનગર ના આધેડ તેમજ રેલ્વે ના પૂર્વ કર્મચારી કવિશ્વરભાઈ રાવલનું ક્રિટિકલ હૃદયનું સફળ બાયપાસ કરવામાં આવ્યું છે ત્યારે કવિશ્વરભાઈને હદયની નળીઓ બ્લોક હતી અને સુરેન્દ્રનગર માં પ્રથમ સારવાર કરાવ્યા બાદ રાજકોટ સ્ટર્લીંગ હોસ્પિટલમાં તેમને હૃદયના બાયપાસ માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સ્ટર્લીંગ હોસ્પિટલના તબીબો દ્વારા ક્રિટિકલ હ્રદયનું સફળ બાયપાસ કરવામાં આવ્યું હતું.
રાજકોટના સ્ટર્લીંગ હોસ્પિટલના ડો.સર્વેશ્વર પ્રસાદ કાડિયોવેસ્ક્યુલર અને થોરોસિક સર્જરીના સ્પેશિયાલિસ્ટ તેઓ જે ઓપરેશન કરવા આવે છે. તેમના દ્વારા કવિશ્વરભાઈનું સફળ બાઈપાસ કરવામાં આવ્યું હતું હૃદયની નળીઓ બ્લોક હતી અને ક્રિટીકલ હૃદયની બાયપાસ કરવામાં આવી હતી ત્યારે આ તેમની તબિયત એકદમ સ્વસ્થ છે અને સુરેન્દ્રનગર રેલવે વિભાગના પૂર્વ કર્મચારી કવિશ્વરભાઈનું સફળ બાયપાસ કરવામાં આવ્યું છે.
ત્યારે હાલ તેમની તબિયત ખૂબ સારી છે.સ્ટર્લીંગ હોસ્પિટલ ના ડોક્ટર સર્વેશ્વર પ્રસાદ અને તેમની ટિમ દ્વારા આ બાયપાસ કરવામાં આવ્યું છે.સાથે ડોક્ટર ઉપાસના બેન બારડ તેમજ અનેક ડોક્ટરો ખૂબ જ નિષ્ણાંતની ટિમ દ્વારા સફળ બાયપાસ કરવામાં આવ્યું છે.હાલ બાયપાસ કરાવનાર દર્દીની તબિયત ખૂબ જ સરસ છે.પહેલા સુરેન્દ્રનગર ખાતે પણ હૃદયના ડોક્ટરનો રેફરન્સ લેવામાં આવ્યો હતો..
અંતે સુરેન્દ્રનગરમાં આ હૃદયનું બાયપાસ ન થઈ શકે તેમ હોય અને હાલત ક્રિટિકલ હોવા થી રાજકોટ ખાતે દર્દીને સ્ટર્લીંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું સફળ બાયપાસ કરાવવામાં આવ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ દર્દીની તબિયત ખૂબ સરસ છે અને ક્રિટિકલ હોવા છતાં પણ થોડા દિવસમાં દર્દી જોખમ માંથી બહાર આવ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy