(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 25
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના દિગ્વિજયસિંહ બાગ ખાતે રૂ. 9 લાખના સાધનો મહિનામાં તૂટી જતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી હતી. જેમાં રૂ. 60 લાખના રીનોવેશન કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે અંગે ત્રણેક મહિના અગાઉ ઉઇ ડીઝીટલમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જે બાદ લીંબડી શહેરના દિગ્વિજયસિંહ બાગ ખાતે લાખોના ખર્ચે નવા રમત ગમતના સાધનો નખાવાતા નગરજનોમાં ખુશી લહેર ફેલાઈ જવા પામી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા દિગ્વિજયસિંહ બાગમાં નબળા કામકાજને કારણે તમામ સાધનો તૂટી ગયા હતા. ત્યારે રીનોવેશનના કામમાં વારંવાર ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ નાગરિકો કરી રહ્યા હતા. જેમાં આ બાગમાં આવેલા જીમખાના અને વોકિંગ ટ્રેક અને બાળકો માટેના રમતગમતના સાધનો તૂટી ગયા હતા. બીજી બાજુ આ દિગ્વિજયસિંહ બાગમાં આવેલા વૃક્ષોને પણ બાળી નાખવામાં આવ્યા હતા. ત્યારે દિગ્વિજયસિંહ બાગમાં ભ્રષ્ટાચાર થયાની બુમરાળ ઉઠવાની સાથે લીંબડી નગરપાલિકા દ્વારા ઘોર બેદરકારી દાખવ્યાનું પણ જાણવા મળ્યું હતું. જે બાબતે લીંબડીના જાગૃત નાગરિકો અને સ્થાનિકો આ ભ્રષ્ટાચારની તપાસની માંગ કરી રહ્યા હતા.
જે અંગેનો વીડિયો સાથેનો વિસ્તૃત અહેવાલ ડીઝીટલમા પ્રસિદ્ધ કરાયો હતો. અંતે લીંબડી શહેરના દિગ્વિજયસિંહ બાગ ખાતે લાખોના ખર્ચે નવા રમત ગમતના સાધનો નખાવાતા નગરજનોમાં ખુશી લહેર ફેલાઈ જવા પામી હતી. હાલ આ દિગ્વિજયસિંહ બાગ રમતગમતના અધ્યતન સાધનો સાથે ચારેયબાજુ હરીયાળી ક્રાંતીથી મહેંકી રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy