(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 19
મૂળી સુરેન્દ્રનગર હાઇવે બન્યાને હજુ એક વર્ષ જ થયું છે. હાઇવે પર ફીટ કરેલ લાઇટો અડધા ભાગની બંધ થઇ ગઇ હોવાથી જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે. મૂળી સુરેન્દ્રનગર હાઇવે ટુ લેન હતો જેથી અનેક વખત અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જેવર્ષ પહેલા લાખોનાં ખર્ચે ફોરલેન રોડ બનતા વાહનચાલકો સલામતી અનુભવી રહ્યા છે.
રોડની સાથે જ્યાં ગામ આવતા હોય ત્યાં સ્ટ્રીટલાઇટો મૂકવામાં આવી છે. પરંતુ આમાંથી 50 ટકાથી વધુ લાઇટ હાલ બંધ હાલતમાં હોવાથી સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી તંત્ર દ્વારા લાઇટો શરૂ કરી યોગ્ય કરાય તેવી માંગ કરાઇ છે.
આ અંગે જીતેન્દ્રસિંહ, મયુરસિંહ સહિતનાએ જણાવ્યું હતું કે મૂળી સુરેન્દ્રનગર હાઇવે પર સ્ટ્રીટલાઇટો નાંખવામાં આવી છે. પરંતુ તેમાંથી મોટાભાગની લાઇટો બંધ પડી છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy