(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.24
અમરેલીની સિઘ્ધિ વિનાયક સોસાયટીમાં યુવકે નીટની પરીક્ષાનાં ટેન્શનમાં પોતાની જાતે જ સુતરની દોરી વડે ગળાફાંસો ખાઈ અંતિમવાટ પકડતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
અમરેલીના ચિતલ રોડ ઉપર આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા કૌશલ મનોજભાઇ વાળા નામનાં 19 વર્ષિય યુવક ધોરણ બાર સાયન્સની પરીક્ષામાં પાસ થયેલ હોય અને તેમણે અગાઉ નીટની પરીક્ષા આપેલ હોય તે પરીક્ષામાં ઓછા માર્ક આવેલ હોય. જેથી આગામી તા. પ/પ ના રોજ ફરી વખત નીટની પરીક્ષા આપવાની હોય અને તે નીટની પરીક્ષાની તૈયારી કરતો હતો.
અગાઉ નીટની પરીક્ષામાં ઓછા માર્ક આવેલ હતા અને ફરીવાર તેમને પરીક્ષા હોય જેમાં પણ માર્ક ઓછા આવશે તે વાતનું ટેન્શન રાખી તા. રર ના રોજ સાંજે 4/30 કલાકે અમરેલીના ચિતલ રોડ સિદ્ધિ વિનાયક સોસાયટી પોતાના ઘરે રૂમમાં પોતાની મેળે છતના ભાગે આવેલ હુકમાં સુતરની દોરી બાંધી સુતરની દોરીનો બીજો છેડો પોતાના ગળામાં નાખી ગળાફાંસો ખાઈ મરણ ગયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy