(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ,તા.16 જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો થકી લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગીરગઢડાની અભિનવ વિદ્યા મંદિર હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ માનવસાંકળ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો. દેશની ભાવિ પેઢી એવા વિદ્યાર્થીઓ દ્વારા માનવસાંકળમાં ઉત્સાહભેર જોડાઈને જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં પરિવાર સાથે 100 % મતદાન થાય તે માટે માનવસાંકળ રચવામાં આવી હતી. ઉના વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ગીરગઢડા તાલુકાની અભિનવ વિદ્યા મંદિર હાઇસ્કૂલ ગીરગઢડાના વિધાર્થીઓએ માનવસાંકળ રચી ’VOTE’નું શાબ્દિક વર્તુળ બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો અને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy