જામ ખંભાળિયા, તા. 26
દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા પૂજા તેમજ યજમાનવૃત્તિ કરનાર શ્રી ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારકા દ્વારા 19 એપ્રિલથી 23 એપ્રિલ સુધી આયોજિત શ્રી કોટી ગાયત્રી યજ્ઞની મંગલ પુર્ણાહુતિ થઈ હતી. સતત પાંચ દિવસ સુધી ચાલેલા આ યજ્ઞકાર્યમાં ભૂદેવો દ્વારા આશરે 1.30 કરોડ ગાયત્રી મંત્રોનું જપ અનુષ્ઠાન કરવામાં આવ્યું તેમજ 13 લાખ જેટલા ગાયત્રી મંત્રો દ્વારા અગ્નિ નારાયણને આહુતિ આપવામાં આવી હતી.
21 યજમાનો તેમજ જ્ઞાતિ પ્રતિનિધિ સહિત કુલ 22 યજ્ઞ કુંડોમાં આ કર્મ સંપન્ન થયું. જ્ઞાતિના પૂર્વ પ્રમુખ સ્વ. વિનુભાઈ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવેલા એકતા અને સધ્ધરતાનું સૂત્ર દ્વારકા ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિજનોએ સંપૂર્ણ સાર્થક કર્યું છે.
દ્વારકેશ 505 સ્કૂલ મેદાન સુધી પહોંચવા વાહનોની વ્યવસ્થા, યજ્ઞશાળાની વ્યવસ્થા, ભોજન પ્રસાદની વ્યવસ્થા, હોમાત્મક કર્મ કરવા હુતદ્રવ્યની વ્યવસ્થા, ચા પાણી ઠંડા પીણાની વ્યવસ્થા, ભારત સહિત દેશ વિદેશમાં લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાય તે માટે મીડિયાની વ્યવસ્થા તેમજ અન્ય અગત્યની વ્યવસ્થાઓ જ્ઞાતિ વ્યવસ્થાપક સમિતિ સદસ્યો, કારોબારી સદસ્યો, મધ્યસ્થ સભા સદસ્યો, સલાહકાર સમિતિ સદસ્યો, મહિલા મંડળ સહિત જ્ઞાતિની નારી શક્તિ સંગઠન સદસ્યો દ્વારા ખૂબ જ સુંદર અને સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.
યજ્ઞ દરમિયાન દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદજી સરસ્વતીજી મહારાજના આશીર્વાદ વચનો પ્રાપ્ત થયા હતા. દયારામ બાપુ આશ્રમના મહંત બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ગોવિંદ પ્રસાદજી, અનેક સંતો અને મહંતો, સોમનાથ તીર્થ ભૂદેવો,અખિલ ભારતીય પંડાસભા પ્રમુખ તેમજ મહામંત્રી, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય પરિવાર, ડી.વાય.એસ.પી પરિવાર, લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર, સૌરાષ્ટ્ર ઝોન યોગ કો-ઓર્ડીનેટર પ્રીતિબેન શુકલ, જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર ધનાભા જડિયા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સાંજે મહારાસ આયોજન દરમિયાન યજ્ઞ સમિતિ ક્ધવીનર તેમજ જ્ઞાતિના વર્તમાન સલાહકાર સમિતિ પ્રમુખ પ્રદીપભાઈ ઉપાધ્યાયનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ વર્તમાન પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાય, મંત્રી કપિલભાઈ વાયડા, સહમંત્રી ચેતનભાઈ પુજારી દ્વારા જ્ઞાતિ આચાર્ય અશ્વિનભાઈ પુરોહિત, ઘનશ્યામભાઈ પુરોહિત, વત્સલભાઈ પુરોહિત, દિનેશભાઈ ત્રિવેદી, આચાર્યગણ સહિત જ્ઞાતિ યજમાનો તેમજ સમગ્ર જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કોટી ગાયત્રી યજ્ઞ દરમિયાન જ્ઞાતિના અબાલ-વૃદ્ધો સહિત અનેક નામી-અનામી વ્યક્તિઓનું વિશેષ યોગદાન રહ્યું હતું. (તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy